SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ૨૧ અશ્વસેન રાજા સાચા ક્ષત્રિય હતા, એટલે તેમણે મદદ મેકલવાનો નિશ્ચય કર્યો અને તે માટે સૈન્યને તૈયાર કર્યું. એ વખતે પાર્ધકુમારે પિતાને પ્રણામ કરીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે “યુદ્ધમાં અજોડ એવા આપને કુશલ સુધી જવાની કોઈ જરૂર નથી. આજ્ઞા હેય તે હું જ આ સૈન્યની સરદારી લઈને ત્યાં જઈશ અને યવનરાજની સાન ઠેકાણે લાવીશ.” અશ્વસેન રાજાએ કહ્યું: ‘કુમાર ! તમારાં આ વચનો સાંભળીને મારું હૈયું હર્ષથી નાચી ઉઠે છે. પરંતુ તમે હજી નાના છે, કીડાને ગ્ય છે. અતિ વિકટ એવી રણયાત્રા કરવાને હજી તમારે વાર છે, માટે તમે અહીં જ રહે અને મારી ગેરહાજરીમાં વારાણસીનું રક્ષણ કરે.” એ સાંભળી પાકુમારે કહ્યું : “પૂજ્ય પિતાજી! પુત્ર ગમે તેવો મોટો થાય, તે પણ નેહને લીધે માતાપિતાને તે નાને જ લાગવાને. પરંતુ પુત્રે પોતાનું કર્તવ્ય સમજવું જોઈએ. વળી રણયાત્રાને મને અતિ ઉમંગ છે, તે આપ આશીવાદ આપે, એટલે કુશસ્થલને ભયથી મુક્ત ક પુત્રના અતિ આગ્રહને પિતાએ નમતું આપ્યું. પા. કુમાર વારાણસીના સૈન્યની સરદારી લઈને કુશસ્થલના રસ્તે પડ્યા. “મહારાજ! યવનરાજની સેના અહીંથી એક પડાવ જેટલી જ દૂર છે, એટલે આપણે અહીં ભી જવું જોઈએ.” નિરીક્ષકએ આવીને સમાચાર આપ્યા. “વારુ, યવનરાજની સેના કેટલી મોટી લાગે છે?” પાર્થ કુમારે માહિતી મેળવવા માટે નિરીક્ષકને પ્રશ્ન કર્યો.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy