________________
ચિંતવજે. અને તમારા પિતાના એવા અશુભ કર્મોને જ પ્રભાવ માનજે, જેથી તમારું દિલ તમારું કિંમતી ચિત્ત રન બગડે નહિ. વાતે ય સાચી; બીજાને વાંકે આપણું કિંમતી ચિત્તરત્ન શા માટે કલુષિત મલિન કરવું ? એટલે ત્યાં તે નીતરતી ભાવદયા વિચારવી કે મને તે મારા પૂર્વ કૃત કર્મ મુજબ જ સારું-નરસું મળે છે; એમાં આ જીવને કોઈ દોષ નથી, એ તે બિચારા નિમિત્ત માત્ર છે, પરંતુ આ બિચારા નું આ કૃતનતાથી શું થશે? એમને સદ્બુદ્ધિ મળે, અને એ પલકના મહાન અનર્થોથી બચે.
પોતાના દુઃખ અંગે પોતાના પૂર્વકૃત કર્મ જ જવાબદાર છે એમ સ્વકર્મ પર નજર નાખવા ઉપરાંત વિશેષ તો વળી આ જોવાનું છે કે પિતાને પોતાનાથી ઉપકાર પામેલા તરફથી સંતાપ મળતું લાગે છે ત્યાં,
સંતાપ ખરેખર એવી પરિસ્થિતિને લીધે છે કે પિતાના મનની સંકુચિત મુદ્ર-તુચ્છ સ્થિતિના હિસાબે છે? અહીં દા. ત. તમે મા-બાપ હો તે પૂછશે -
પ્ર-છોકરા આડા ફાટે ને અમને સંતાપ થાય એમાં અમારા મનની સંકુચિતતા શી? ક્ષુદ્રતા શી?
ઉo–પણ આ વસ્તુ જરા અંતરમાં ઊતરીને વિચારશે તે સમજાય એવી છે. અંતરમાં ઊતરીને જોવાનું આ છે કે “પુત્ર આડે ફાટે, એમાં મને સંતાપ કેમ લાગે છે? મને પુત્ર તરફથી બાહ્ય સુખ-સગવડ-સન્માન મળે એવી આશા-અપેક્ષા રહે છે માટે ને? જે આવી આશા અપેક્ષા જ ન હોય, તે સંતાપ કરવાનું કારણ છે?”