________________
૧૩. અમૂલ્ય ચિત્તરત્ન જમાનાને ચેપ ભૂંડે છે. એનું ઝેર ચોમેર પ્રસરી ગયું છે. ઉપકારની કૃતજ્ઞતા ભૂલી કૃતઘન બનાવનારા જમાનાના પાપે આજે કેના કેના મનને ખેદ નથી? સંતાપ નથી ? માબાપોને છોકરા તરફથી, શિક્ષકોને વિદ્યાર્થીઓ તરફથી, શેઠને નેકરો તરફથી, અવસરે ધન વગેરેની સહાય કરનાર સજજનોને સહાય લેનારા તરફથી, યાવત્ ધર્મઉપકાર કરનાર ગુરુઓને ભક્તો કે શિષ્ય તરફથી, સંતાપ રહેતા હોય એવા માબાપ-શિક્ષક–સહાયક-ગુરુઓની સંખ્યા જોવા નીકળે, તે કેટલા મળી આવે ? ઉપકારીને ઉપકૃત તરફથી શાંતિ મળવાની વાત તે દૂર, પણ ઉપરથી સંતાપ મળે એ જમાનાનું ઝેર નહિ તો બીજું શું છે?
તમે માબાપ હે, શિક્ષક હો, કેઈના સહાયક બન્યા હિ, ગુરુ બન્યા છે, ત્યાં આવા ઝેરને જોઈ, અર્થાત્ તમારાથી ઉપકાર પામેલા તરફથી તમને સંતાપ મળતો જોઈ દુઃખ થતું હશે પરંતુ સાથે સાથે તમારા જીવનને તપાસજો કે તમે વળી તમારા ઉપકારીને સંતાપ પમાડનાર બન્યા કે બનતા તે નથી ને ? માણસને બીજાના માથે દેશની પાઘડી પહેરાવવાની અને પોતાના માથે ગુણની પાઘડી પહેરવાની ખરાબ આદત હોય છે પણ આ આદતમાં ફસાવા જેવું નથી. સંતાપ કેમ ટળે? શતિ કેમ મળે?
જો તમને તમારા ઉપકારને પામેલા તરફથી સંતાપ મળતું હોય ત્યાં તે એવા જ માટે દ્વેષ ન કરતાં દયા