________________
૪૯ આ બહારનું કશું મારું નહિ, એક દિ' બધું જ ઊડી જવાનું.” જીવનના અંતકાળ સુધી આ લાગણી કેળવ્યા કરી હોય, પછી પરલોકગમન આવીને ઊભું રહે ત્યારે એ છૂટતાં મુંઝવણ ન થાય. મનને એમ થાય કે મેં તે પહેલેથી જ સમજી રાખેલું છે કે આ કશું મારું નહિ આ તે અત્યારસુધી મારા થઈને રહ્યા એ કાકતાલીમ સંગ; બાકી આ જનમ પૂર્વે આ ક્યાં મારા હતા જ? કયાં હું જનમતાં પૂર્વથી બધું સાથે લઈને આવ્યું હતું ? આ તો બધા આયારામ-ગયારામ છે, મારા કશા જ નહિ.” ત્યારે હવે પૂછે,
(૨) પરલેક દુઃખ અટકે ? :
પ્ર - ઠીક છે, મમત્વ અટકાવ્યાથી પરેલેકગમનને નિશ્ચિત્ત યાને ચિંતારહિત બનાવી શકાય, પરંતુ પરલેકમાં દુ:ખ અટકે ?
ઉ– હા, પરલોકનાં દુ:ખ બે રીતે અટકાવી શકાય,
(૧) એક તો, અહીં ધર્મ કરતા રહી પાપી વિચારવાણી-વર્તાવ અટકાવવાથી, અને
(૨) બીજુ બંધાઈ ચૂકેલા પાપના ઉદય જાગે ત્યાં ચિત્તને સમાધિ રહે એવું કરવાથી અર્થાત અહીંથી સમાધિના સંસ્કાર લઈ જવાથી ત્યાં સમાધિ રહે, તે મનને દુ:ખ ન લાગે,
આ બંને વસ્તુ અહીં સાધ્ય છે, અહીં ઊભી કરવાની.
(૧) ધર્મમાં લાગ્યા રહીએ, તે પણ એવા કે ધર્મસાધના સિવાયના કાળમાં ય, દા. ત. ખાનપાનાદિ કે