________________
૪૮
મમત્વ છે, તેથી એ છૂટી જવાના અવસરે મન આકુળવ્યાકુળ થાય એ સહજ છે. એટલે જ જો અહીં જીવતાં જ એ મમત્વ ન રાખ્યા હાય, મમત્વ ઉતારનારી હાર્દિક સચાટ ભાવના કેળવ્યા કરી હોય તે દુ:ખ ન થાય.
મમત્વ ઉતારનારી ભાવના આ. કે
“ આ પૈસા-પરિવાર વગેરેના સંચાગ નાશવંત છે, એક દિ' જવાના છે, મારુ એમાંનું કશું રહેવાનું નથી, માટે એમાં ‘ મારું મારું' શું કરું ? કશું જ મારું નથી એટલે હું તે અત્યારથી જ માનું કે જાણે આ બધા ઊપડી ગયા, અને હુ એકલેા જ છુ. અને હું એકલે પડવા છતાં ફિકર નથી, ભાગ્ય મારી પાસે છે તેમ મારા દિલમાં પ્રભુ અને એમના ધમ મારી સાથે છે. મારે શી ફિકર ? અને જગતમાં અઢળક જીવા એકલાઅટુલા કયાં નથી દેખાતા ? કેાના પર એ મમત્વ કરે? ત્યારે શું મારી પાસે આજે સંચાગે છે એટલે જ મમત્વ કરુ છું ને ? સયેગા ન હાય તા શાના પર મમત્વ કરવાનું ? સંચાગેાના પાપે મમત્વ થાય છે, માટે એવા પાપસ યાગેને આળખી રાખું, એ નિશ્ચિત જવાના એ રીતે એને અત્યારથી જ પર માની રાખુ, પરાયા લેભુ, જાઓ, તમે મારા છે જ નહિ, એ આ ઘડીથી ખરાખર સમજી રાખુ.”
આમ વારંવાર ભાવના કરતા રહેવાથી જીવમાં એકત્ત્વની લાગણી ઊભી થાય, મમત્ત્વ મેળુ પડે, બાહ્ય મમત્ત્વ રહેતું હાય, પણ અંદરખાને બરાબર સમજી મૂકાય કે