________________
૧૧
નારને બતાવી દઉં કે, હું કોણ છું? એની પાસે માફી મંગાવું ” આ અભિમાન અને લેભે પિતાના બળને અતિવિશ્વાસ કરાવ્યું, ને વગર વિચાર્યું સાહસ કરાવ્યું. અહીં તે આવેલ રાજકુમારનું એક મેમાન તરીકે સ્વાગત કરવાને અવસર હતું. એને લાવીને આંગણે પધરાવી ભક્તિ કરવાની અને મિત્રતા વધારવાની તક હતી. પરંતુ એ દેખાય ક્યાં ? મદ અને લેભે અંધતા ઊભી કરી, અંદરની ચક્ષુ ખુલવા દીધી નહિ.
મૈત્રીભાવ. કરણાભાવ, અને બીજાના સારા ઉપર ઈર્ષ્યા નહે પણ પ્રમોદભાવ. એને કિંમતી અવસર અંદરનું ચ ખૂલે ત્યારે દેખાય. પણ મદ ને લેમ એ ખૂલવા દેતા નથી.
શાસ્ત્રકારો એટલા જ માટે કામ-ક્રોધ-લોભાદિ કષાયને ભયંકર અંધાપો કહે છે, ખતરનાક કહે છે. આ ઊંચા માનવ અવતારમાં તે મૈત્રી-કરુણા-અમદ-માધ્યસ્થની ભરચક સુવાસથી હૃદયને મઘમઘતું કયું રાખવાનો મહાન સોનેરી અવસર કહે છે. પરંતુ મૂર્ણ જીવને કષાયના અંધાપામાં એ અવસર દેખાતે જ નથી. તેથી જિંદગી આખી ય દિલમાં વેર-વિરોધભાવ, કઠોરતા, ઈર્ષ્યા, પરચિંતા–પરદેષ દર્શન વગેરે બદબો જ ભર્યો રાખવામાં ગુમાવાય છે.
મૂખ જીવને એ ભાન નથી કે “જે બળ–સત્તાસમૃદ્ધિ અને પરિવારાદિ પામવા પર અભિમાન અને લેભ કરે છે. જે એ કરીને આ બદબો દિલમાં ભરે છે, એ બધા તે છેવટે જીવનના અંતે તારે ર૮ બાતલ થવાના છે, તારાથી