________________
૧૩૧
એ અહીં નહિ મરે તે પરભવમાં તારા ડૂચા કાઢી નાખશે, ઘેર ત્રાસ દેશે ! એ તે અહીં જીવતા રહીને પાપને મારે, તે જ પરભવે નિરાંત.
દઢપ્રહારી પરભવના આ ત્રાસને સાંભળી ચાં, અને કહે છે, “તે શું પ્રભુ! મારા આવા ઘોર પાપને અહીં મારી શકાય?
મહાત્માએ કહ્યું “હા. આ શું? આથી પણ ભયંકર પાપને ય અહિંસા-સંયમ–તપની ઉત્કૃષ્ટ આરાધના દ્વારા નિમૂળ નષ્ટ કરી શકાય.”
દઢ પ્રહારીનું દિલ પલટાઈ ગયું ! અને એ આરાધના માટે તૈયાર થઈ ગયે. ત્યાં જ સંસાર ત્યાગ કરી ચારિત્ર લીધું, અને પ્રતિજ્ઞા કરી કે “જ્યાં મારું પાપ યાદ આવે એ દિવસે આહાર–પાણીને ત્યાગ.” આ પ્રતિજ્ઞા કરી નગરના દરવાજા બહાર કાઉસ્સગ ધ્યાનમાં ઊભા રહેવા માંડયું. હવે કેમ? જે નગરમાં ચાર ઘેર હત્યા કરી હોય, એ નગરના લેક અને જેઈ તિરસ્કાર કરવારૂપે એ પાપ યાદ કરાવ્યા વિના રહે? અરે ! તિરસ્કાર માત્ર શું? એને લાત– લાકડી-ધબ્બો મારનારે ય કેક મળી આવે. થયું, રોજ ઉપવાસ પડે છે. ઉપરથી અપમાન તિરસ્કાર તાડન મળે એ જુદું; છતાં ડરવાની વાત નથી. એમાં એક દરવાજે લેક થાકવું. તે બીજે દરવાજે, એજ પ્રમાણે ધ્યાનમાં ઊભા, ને કદર્યને સહી. વળી ત્રીજે દરવાજે; પછી એથે દરવાજે, એમ છ મહિના સુધી લાગટ ઉપવાસ સાથે કદર્થના સહી મહાત્મા દઢપ્રહારી તરીકે પ્રસિદ્ધિ પામી ગયા.