________________
૧૩૦
આપને ઝાંખા પાડવાના ધધો કર્યાં,કેવી ઈર્ષ્યા ! કેવુ' ગુમાન !” રાજાને ક્ષણભર આંચકા લાગ્યા કે આ શુ' ? એમણે તરત આમ્રભટ્ટને બોલાવ્યા, અને કહ્યું કેમ ભાઈ બધુ ઈનામ દાનમાં દઈ દીધું તે મારા કરતાં ચડિયાતા થવા માટે ?' આમ્રભટ્ટ કહે છે, મહારાજાધિરાજ ! આપનાથી ચડિયાતા તે હું છું જ. આપ છે એક ત્રિભુવનપાલ ડાકારના પુત્ર અને હું છું અઢાર દેશના સમ્રાટ રાજાધિરાજ કુમારપાળને પુત્ર. એવા સમ્રાટના પુત્ર તરીકે મારે આ દાન દેવુ* ઉચિત જ છે; એમાં સમ્રાટની જ શોભા છે.' દઢપ્રહારીને શબ્દના ચમત્કાર :
કેવા શબ્દ ! કુમારપાળ રાજાના હૈયાને એ ચમત્કારિક અસર કી ગયા. મહાન પુરૂષોના જીવનામાં આવા શબ્દના ચમત્કાર ઘણા જોવા મળે. શબ્દના પ્રભાવે જીવનભરના અધકાર ઊલેચાઇ જાય છે.
દૃઢપ્રહારી ઘેાર ચાર હત્યાએ કર્યો પછી પસ્તાયા. હવે જીવવું નકામું લાગે છે તેથી જંગલમાં આપઘાત કરવા માટે દોડી રહ્યો છે. ત્યાં મહાત્મા ભેટડ્યા, મહાત્મા મુનિ કહે છે, કેમ દોડે ?’
દૃઢપ્રહારી કહે ‘મહારાજ ! હું ધાર પાપી છું. આવેશમાં એવી ચાર માટી હત્યા કરી નાખી કે મને લાગે છે કે મારા જેવા પાપાત્મા હવે જીવવા લાયક નથી, માટે આપઘાત કરવા જાઉ છું.'
મહાત્મા કહે, ‘ ભલા આદમી! તે એમ કાંઇ મરી જવાય? તું મરીશ પણ તારાં પાપ કયાંથી મરશે ? અને