SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ રાગમાં શાંતિ કેમ નહિ? રાગમાં અશાંતિ શી ? :ભૂલશો નહિ, સમાધિ-શાંતિ માત્ર દ્વેષના ધમધમાટમાં ન હોય એમ નહિ, કિંતુ રાગની વિહ્વળતામાં પણ ન હોય. ચિત્ત રાગ મેડ, વિગેરે કરતુ હોય તે પણ એની અશાંત અવસ્થા જ છે; કેમકે રાગના વિષય બગડતાં કે ફેરફાર પામતાં, ચિત્ત આકુળવ્યાકુળ થાય જ છે. ત્યારે જે અવસ્થાના હિસાબે જ પછી આકુળવ્યાકુળ બનવુ પડતુ હોય, એ અવસ્થા શાંતિ-સમાધિની ન ગણાય. અહીં પ્રશ્ન થાય,પ્ર૦- જ્યાં સુધી રાગની ચીજમાં ફેરફાર ન થાય ત્યાં સુધી તે। એ રાગમાં ચિત્તને શાંતિને અનુભવ રહે છે ને? તે રાગમાં અશાંતિ શાની? ઉ− એ અનુભવ ખોટા છે. રાગમાં ચિત્તને શાંતિ નથી, કિન્તુ એક પ્રકારના નો! છે, વિહ્વળતા જ છે; એનુ કારણ એ છે કે માના કે એ કોઈ દુન્યવી વસ્તુ પર રાગ ભરેલા ચિત્તથી ભગવાનનું નામ જપવા બેઠા, કે ભગવાનની સ્તવના કરવા માંડી, યા કાઇ અનુષ્ઠાનમાં લાગ્યા તો શું એમાં ચિત્ત સ્થિર રહે ખરું? ના, ચિત્ત અહીથી ઊડી ઊડીને પેલી રાગવાળી દુન્યવી વસ્તુના વિચારમાં જાય છે. ચિત્તને તમે ખે...ચી ખેંચીને ધક્રિયામાં લાવતા હૈ, ને એ ખસી ખસીને બહાર પેલી રાગની વસ્તુમાં સરકી જાય છે, એના વિચારમાં ચડી જાય છે. તે શુ' આ ચિત્તની વિહ્વળતા નથી? ધમ ક્રિયામાં અસ્થિરતા કેમ ?ઃઆજે ધમી જીવાની આ ફરિયાદ છે કે ધમ ક્રિયામાં અમને સ્થિરત્તા કેમ રહેતી નથી ? અમારું ચિત્ત કેમ
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy