________________
૧૫. રાજા હરિષણ વિરક્ત બને છે
વખત જતાં રાણી પ્રીતિમતીને પુત્રને જન્મ થાય છે, અને એનું “ધાર” એવું નામ પાડવામાં આવે છે. એ પુત્ર ઊછેરતાં હજી બાળ છે એ વખતે જુઓ કે રાજાના મનની શી સ્થિતિ બને છે. આપણે જોયું છે કે રાજા હરિષેણ તપોવનમાં મહિને રહી આવે ત્યારે પવિત્ર તાપસના સત્સંગ અને કુલપતિના તપદેશથી ભાવિત થયેલે છે, ને ત્યારથી તત્ત્વનું મનોમંથન ચાલુ જ છે. એ તત્ત્વચિંતનમાં પહેલા નંબરમાં સંસારના પદાર્થો યાવત્ પિતાની કાયા અનિત્ય યાને નાશવંત જઈ એવા સંસાર પ્રત્યે એને વૈરાગ્યભાવ જાગે છે. ત્યારે પૂછતા નહિ કે,
પ્રવર્તે પછી એ પ્રીતિમતિને પરણ્ય કેમ? અને પછી પણ એની સાથે સંસાર માંડે કેમ?
ઉ૦આવું પૂછતા પહેલાં એ સમજી રાખો કે વૈરાગ્યભાવ અને ત્યાગની વચમાં આંતરું છે. વૈરાગ્ય-ભાવ આવ્યો એટલે તરત ત્યાગ થઈ જ જાય એવો નિયમ નથી. હા, વૈરાગ્ય થયે ત્યાગની તમન્ના ખડી થાય. બાકી
સંસારની અનિત્યતા, સંસારની દુ:ખદ ઘટનાઓ અને સંસારમાં જીવની કર્મજન્ય ડગલે ને પગલે પરાધીનતા ઉપરાંત પાપોની અનિવાર્યતા.. વગેરે એવું વિષમ છે કે એ જે મન પર વસી જાય તે જીવને વૈરાગ્ય થઈ જાય એવું છે.
આ તમને જે વૈરાગ્ય મેઘે લાગતું હોય તે એનું કારણ આ છે કે આ સંસારની અનિત્યતા, દુઃખદ ઘટનાઓ, અને જીવની કર્મ–પરાધીનતા વગેરે પર મને બરાબર જતું