SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ મુનિજીવનની બાળપોથી-૪ અઠ્ઠમ તપ કરવાનું હોય છે. પહેલી રાત્રી ગયા પછી અઠ્ઠમ તપ શરૂ કરે. આ પ્રતિમામાં નગરની બહાર જઈને આખી રાત આંખ મટમટાવ્યા વિના સિદ્ધ શિલાની સામે નજર રાખીને કાર્યોત્સર્ગમાં ઉભા રહેવાનું હોય છે. આ પ્રતિમાના બળથી અવધિ વગેરે વિશિષ્ટ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. અગિયારમી પ્રતિમા ભલે કુલ ત્રણ દિવસે ધરાવે છે પરંતુ તેમાં એક અહોરાત્રની જ પ્રતિમા હોય છે. અર્થાત પહેલી અહેરાત્રી કાર્યોત્સર્ગમાં પસાર કરવાની છે એ રીતે બારમી પ્રતિમા ભલે ચાર દિવસે પૂર્ણ થાય છે પરંતુ તેની પહેલી રાત્રી જ પ્રતિમામાં રહેવાનું હોય છે. દરેક પ્રતિમા વહન કરતા પહેલાં ગચ્છમાં રહીને તેટલે સમય તેની બધી જ વિધિ સાથે તાલીમ લેવી જરૂરી છે. ત્યાર પછી જ ગચ્છની બહાર જઈને તે દરેક પ્રતિમા વહન કરવાની હોય છે. ૧૩ તેરસહિં કિરિયાકાણહિં (ક્રિયાઓ-તેર) તેર પ્રકારની ક્રિયાઓ કરતા જે જીવવિરાધના થાય તે દોષનું પ્રતિક્રમણ કરું છું. તે નીચે મુજબ – ૧ સપ્રયજન ક્રિયા સંયમ નિર્વાહ થવું મુશ્કેલ બની જાય અથવા ગ્લાનતા વગેરે આવી જાય
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy