SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૪ અર્થ? મારા પ્રત્યે જે જે જીવેએ જે કંઈ અપરાધે કર્યા હોય તે તમામ અપરાધેની તેઓ મારી પાસે ક્ષમા ન માંગે તે પણ હું તેમને ક્ષમા આપું છું (ખમિઅ). મેં જે કંઈ અપરાધ જે તે જીવ પ્રત્યે કર્યા હોય તે મારા તમામ અપરાધોની હું તેમની પાસે ક્ષમા માંગુ. છું (ખમાવિઅ) અને એવી અપેક્ષા રાખું છું કે મારા તે સઘળા. અપરાધ બદલ તેઓ મને ઉદાર હૈયે ક્ષમા આપે (મઈખમ). | સર્વ જીવનિકાય સાથે મારે કોઈ પ્રકારને વૈરભાવ હવે નથી. આ વાત (આલોચન) હું સિદ્ધ ભગવંતની. સાક્ષીએ કરું છું. ચૌદ રાજલકની અંદર ભમતા સર્વ જી બિચારા કર્મવશ છે. (માટે મને તેમને કેઈ અપરાધ દેખાતું નથી.) તે સર્વેની મેં ક્ષમા માંગી છે અને તેઓ મને ક્ષમા આપે. સત્તરમી ગાથાની ભૂમિકા “અરિહંતે મહદેવે” ગાથા દ્વારા આપણે સત્ પદાર્થોને “વંદામિ” કર્યુંઅને “ખમિઆ ખમાવિએ” ગાથા દ્વારા આપણે જીવને ખામેમિ કર્યું પરંતુ હજુ પરમાત્મા અને પરમાત્મા સિવાય જે સ્વાત્મા બાકી રહ્યો છે. તેને “ મિચ્છામિ” કરવાનું છે. જગતના કોઈ પણ બીજા પ્રત્યે ક્રોધાદિ કરીને કે મારપીટ કરીને આપણે જે ત્રાસ ગુજાર્યો છે તેનાથી અનંતગણે ત્રાસ પાંચ ઇન્દ્રિયના.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy