SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૪ શકે તે જ મડી રાત સુધી સ્વાધ્યાયને રસ માણી શકે. જે શરીરને કષ્ટ આપી શકે તે જ ધ્યાનમાં બેસી શકે. અને જે શરીરને કહ્યાગરું બનાવી શકે તે જ કાર્યોત્સર્ગમાં સ્થિર રહી શકે. આમ જે આત્માઓ અહિંસા-સંયમ અને તપરૂપી ધર્મને વર્યા છે. તેમને સમ્યગુદષ્ટિ દેવે પણ નમસ્કાર કરે છે. કેમકે તેઓ આવા ધર્મને પામવાની તીવ્ર ઝંખનાવાળા હોવા છતાં તેવા ધર્મને દેવગતિમાં કદી પામી શકતા નથી, માટે જે પામ્યા છે તેઓને ભાવભરી વંદના તેઓ કરતા રહે છે તે તદ્દન સહજ છે. ગાથા નંબર બે થી પાંચ जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं । ન જ પુc લિસ્ટાર, રે પાળે અg Pરા एमेए समणा मुत्ता, जे लोए सति साहुणेो । विहगमा व पुप्फेसु, दाणभत्तेसणे रया ॥३॥ वयं च वित्ति लठभामा, णय काइ उवहम्मइ ।। अहागडेसु रीयंते, पुप्फेसु भमरा जहा ॥४॥ महुगारसमो बुद्धा, जे भवति अणिस्सिआ । नाणापिंडरया दता, तेण वुच्चति साहुणो । ત્તિ સેમિ રામ અર્થ: મુનિજીવનની સફળતામાં સહુથી વધુ મહત્વ ધરાવતી બે વસ્તુઓ છે. (૧) ગુરુભક્તિ અને (૨) આહારશુદ્ધિ. હવેની ગાથાઓમાં આહારશુદ્ધિ અંગે વિચારણા કરવામાં આવે છે.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy