SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ મુનિજીવનની બાળપોથી- હાઈકોર્ટ જેવા છે. જ્યારે દેહ નામનું જડ તત્વ સુપ્રીમ કે જેવું છે. જે સુપ્રીમમાં હારી ગયે તે બધી કેર્ટોમાં જી હોય તે પણ હારી જ ગયે ! ઠંડું પાછું, અનુકૂળ ઉપાશ્રય વગેરે અપેક્ષાઓ આપણું દેહાધ્યાસની તીવ્રતાની સાક્ષીરૂપ છે. આપણે તેને તોડવી જ રહે. “ગમે તે અવસ્થામાં મારે ચાલશે, મને ફાવશે.” એવા શબ્દો સહજ રીતે આપણું મેંમાંથી નીકળશે તે આપણે ધન્યાતિધન્ય દિવસ હશે. કેવા હતા, તે પિતા-પુત્ર મુનિ ! કીર્તિધર અને સુકેશલ! તેમના દેહને ક્રમશઃ વૈરિણી વાઘણુ ખાવા લાગી છતાં ચૂં કે ચાં નહિ ? કેવાં હશે, તે ખંધક-મુનિ જેમની ચામડીઓ ઊતરડાવાને પ્રસંગ આવ્યું તે વખતે મારાઓને તેમણે કહ્યું કે, “તમે કહે તે રીતે હું ઊભો રહું, જેથી તમારા કામમાં તમને લેશ પણ દુઃખ ન પડે!” કેવા હશે તે દશપૂર્વધર વાસ્વામીજી મહારાજના બાળ મુનિ ! જેમને અનશન કરતાં ગુરુએ વાર્યા અને પાછા મેકલ્યા; તે પાછલી બાજુએથી આવી જઈને કેઈ ન દેખે તેમ ધગધગતી પથ્થરની એક શિલા ઉપર સૂઈ જઈને અનશન લગાવી દીધું ? થેડી જ પળમાં જેમને દેહ મીણની જેમ ઓગળી ગયા ! જેમની વાત સાંભળતાં ય રુવાંડાં કંપે છે તે મહાપુરુષને કટિ કેટિ વંદન ! કયારે આપણે આ દેહાધ્યાસ-ત્યાગ સર કદીશું ?
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy