SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી–૨ ૧૪૭ ખૂબ વિચાર કરતાં લાગે છે કે બીજા સર્વનાશી હુમલાને આપણે લક્ષમાં લઈને તેની સામે સંગઠિત થઈને બધી જ શક્તિ તે તરફ કેન્દ્રિત કરીએ. પેલા યુધિષ્ઠિરના શબ્દો, “ તમારી સામે તો અમે પાંચ નથી; એકસો પાંચ છીએ.” એ ખૂબ વિચારણીય લાગે છે. ઓસીઆ અને કેરટામાં એકીસાથે (ઉત્તર વૈક્રિય શરીરની સહાયથી) પૂજ્યપાદ રત્નપ્રભસૂરિજી મહારાજાએ જિનબિંબેની પ્રતિષ્ઠા કરી હતી, પણ તેમાં પોતાના મૂળ શરીરથી કેરટામાં તેમણે પ્રતિષ્ઠા ન કરી તેથી તેના સંઘને એટલું બધું માઠું લાગી ગયું કે એના આવેશમાં ત્યાં જ ચાતુર્માસ બિરાજમાન કનકપ્રભમુનિને સૂરિપદે આરૂઢ કરી દઈને સંઘની એકતાને ધકકો માર્યો. પૂજ્યપાદ રત્નપ્રભસૂરિજી મહારાજા દૂરંદેશિતા વાપરીને ચેમાસુ પૂરુ થતાં જ કેરટા પધાર્યા. અને પ્રથમ પ્રવેશપ્રવચનમાં જ કેરટા સંઘે પિતાને બેજ અડધે કર્યાની અનુમોદના કરી. અને બાજુમાં બેઠેલા સ્વશિષ્યને પોતે જ વાસક્ષેપ કરીને સૂરિપદ ઉપર સત્તાવાર રીતે આરૂઢ કરી દીધો. આમ સંઘ-ઐક્ય આબાદ જળવાઈ ગયું. આથી પણ અત્યંત વધુ છિન્નભિન્નતા શ્રીસંઘમાં થઈ ચૂકી નથી ? શાસ્ત્રનીતિના આધારે જે કાંઈ થઈ શકતું હોય તે બધું જ કરવું રહ્યું; તે માટે બધી જ બુદ્ધિ લડાવવી રહી; તે માટે જેટલું જેનાથી નમતું જોખી શકાય તેટલું નમતું જોખી દેવું રહ્યું.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy