SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : | [પ૨૯ ] ૭ જીતેંદ્રિય, ૮ ત્યાગી, ૯ ક્વિારક્ત, ૧૦ તૃપ્ત, ૧૧ નિલે૫, ૧૨ નિ:સ્પૃહ, ૧૩ મુનિ, ૧૪ વિદ્યાવાન, ૧૫ વિવેકી, ૧૬ મધ્યસ્થ, ૧૭ નિર્ભય, ૧૮ અનાત્મશંસી, ૧૯ તત્ત્વદષ્ટિ, ૨૦ સર્વસમૃદ્ધિ, ૨૧ કવિપાકચિંતક, રર ભદ્વિગ્ન, ૨૩ સંજ્ઞાવિનિમુક્ત, ૨૪ શાસ્ત્રદકુ, ૨૫ નિપરિગ્રહી, ર૬ શ્રદ્ધાનુભાવી, ૨૭ યેગી, ૨૮ નિયાગી, ૨૯ ભાવાર્થક, ૩૦ ધયાની, ૩૧ તપસ્વી અને ૩૨ સર્વનયાશ્રયી એવા મુનિ જ આ અષ્ટકમાં બતાવેલા રહસ્યભૂત તત્વને પામીને મહોદયવાળા જ્ઞાનરસને પ્રાપ્ત કરે છે. આ ગ્રંથનું જ્ઞાનસાર નામ કર્તાએ અનેક પ્રકારે સાર્થક કરેલું છે શ્રી જિનેશ્વરે બતાવેલા જ્ઞાનનો સાર આ ગ્રંથમાં સંગ્રહિત કરે છે તે જેમ જેમ વાંચે ને વિચારે તેમ તેમ વિશેષ લક્ષ્યગત થઈ શકે તેમ છે. છઠ્ઠા તથા સાતમા લેકમાં આ જ્ઞાનસારના ફળની વિવક્ષા કરી છે. તેની પ્રાપ્તિ કરનારને જીવન્મુક્ત તેમ જ મેહકદર્થનામુક્ત ઓળખાવેલ છે. ત્યારપછીના પાંચ કલેકમાં પણ તેને અનુસરતું જ કથન છે, તથાપિ તેના પ્રથમ લોકમાં જ્ઞાનસારથી ગુરુ થયેલા ભવ્યાત્માઓ અધગમનને બદલે ઊર્ધ્વગમન કરે છે તે આશ્ચર્ય જણાવ્યું છે, કારણ કે આ જ્ઞાનસારને પ્રાપ્ત કરનારા પ્રાણુની કદાપિ અધોગતિ થતી જ નથી, તે તે ક્રમસર ઊર્ધ્વગમન કરતાં કરતાં મહાદય સ્થાનને મોક્ષને) અવશ્ય મેળવે જ છે. ત્યારપછીના લેકમાં જ્ઞાન વિનાની ક્રિયા અને જ્ઞાનયુક્ત ક્રિયાના ફળમાં જે મહદંતર છે તે બતાવ્યું છે. એ વાત ખરેખરી છે કે જ્ઞાનરહિત શુષ્ક ક્રિયા જ્યારે અતિ અલ્પ ફળ આપે છે, ત્યારે જ્ઞાનસંયુક્ત સ્નિગ્ધ ક્રિયા (યથાખ્યાત ચારિત્ર) સર્વ ૩૪
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy