SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [૨૯ ] તે ઉપર કહેલા ગાભ્યાસ ક્રમ સચવાય નહિ અને એ ક્રમ સાચવ્યા વિના સર્વ ગની સિદ્ધિ થઈ શકે નહિ, તેથી યેગારૂઢ થતાં સુધી તો બાહ્યક્રિયાની આસેવના કરવાની અવશ્ય જરૂર પડે છે. ગારૂઢ થયા બાદ અર્થાત્ સર્વ ગની સ્થિરતા સિદ્ધ થયા બાદ કેવળ અંતર્ગત ક્રિયા-આંતરલક્ષપૂર્વક શમગુણના આસેવનથી જ આત્મશુદ્ધિ થઈ શકે છે, પરંતુ આ હદ પામવી ઘણી દુર્લભ છે. આત્મવંચક જનોને તો તે અસાધ્ય છે, પણ આત્માથી જનેને તે પ્રયત્નસાધ્ય છે, માટે એવી ઊંચી હદ પ્રાપ્ત થતાં સુધી તે હદે પહોંચવાનો રાજમાર્ગ તજ નહિ. દરેક ગાભ્યાસીએ ગમાર્ગનું અનુસેવન કરતાં જરૂર જેટલી બાહ્યક્રિયા પણ રુચિપૂર્વક સેવવી જોઈએ. પછી અનુક્રમે ગસિદ્ધિ થયા બાદ બાહ્યક્રિયાની જરૂર રહેશે નહિ. એટલું જ નહિ, પરંતુ છેવટ નિર્વિકલ્પ ત્યાગ પ્રાપ્ત થતાં સર્વ વિક૯પ માત્ર અને ક્રિયા માત્ર પણ સ્વત: શાંત થઈ જશે. યત:નિર્વિજો પુનરચા, રવિવારે 7 વા નિયા” અર્થાત્ ક્ષાયક યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થયા પછી કંઈ પણ વિકલ્પ કે ક્રિયાની જરૂર જ રહેતી નથી. ગાભ્યાસીને માટે ઉપલો ક્રમ બતાવી હવે ગ્રંથકાર શમગુણપ્રાપ્તિનાં કારણ કથતા સતા તેથી કેવા અપૂર્વ ફાયદા થાય છે તે બતાવે છે. ૩ કોઈપણ વિષયમાં મનનું એકાગ્રપણું થવું તે ધ્યાન કહેવાય છે. શુભાશુભ અધ્યવસાયને તેમાં થયેલા પરિણામ મુજબ તે ધ્યાન શુભાશુભ અથવા શુદ્ધાશુદ્ધ કહેવાય છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન એ બે શુભ અથવા શુદ્ધ ધ્યાનના ભેદ છે ત્યારે આ ધ્યાન અને રૈદ્રધ્યાન એ બે અશુભ અથવા અશુદ્ધ
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy