SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [ ૧૮૧ ] મગ્નતાથી ક્ષણમાં મેહનું વિદારણ થઈ શકે છે.” આવા સમર્થ સાધનને સેવનાર પુરુષને અન્ય વિષયમાં રુચિ ન જ થાય એ સ્વાભાવિક જ છે અને કદાચ કોઈ અન્ય વિષયમાં પ્રવૃત્તિ કરવા તેને પ્રેરણા કરે છે તે તેને ઝેર જેવી લાગે છે. અર્થાત્ પિતે તો પ્રસ્તુત ધ્યાનને ચકી વિષયાંતરમાં પ્રવૃત્તિ કરવા કદાપિ ઈચ્છતો જ નથી, પરંતુ કદાચ કઈ અનુભવી તેને વિષયાંતરમાં પ્રવૃત્તિ કરવાનું કહે તો તે તેને ચતું જ નથી. તેમ છતાં કદાચ બળાત્કારે વિષયાન્તરમાં પ્રવૃત્તિ કરવી પડે તો તે તેને ઝેર જેવી અથવા મૃત્યુ જેવી જ લાગે છે. ૨. જે મહાશયે ભાગ્યવશાત્ સ્વાભાવિક સુખને ભેદ જાણ્યો છે, જેને સહજ નિરુપાધિક સુખની પ્રતીતિ થઈ છે અને એવું સુખ જેણે આસ્વાદું છે, એવું જ સુખ જેને અંગ્યું અને પયું છે એવા અનુભવી પુરુષને જ સમસ્ત જગતનું સ્વરૂપ સારી રીતે સમજાયું હોય છે. જેમ બાળકો ધૂળની રમત કરે છે તેમ જગતના જીવડે વિવિધ કર્મના વશથી થતી ભવચેષ્ટા જ્ઞાની પુરુષોને અસાર ભાસે છે. આ સંસાર સંબંધી તેમને યથાર્થ ખ્યાલ આવવાથી, તેની અસારતા અને અનિત્યતાની યથાર્થ પ્રતીતિ થવાથી તેમાં તેઓ કદાપિ આસક્તિ ધરાવતા નથી. તેઓ યથાર્થ જાણે છે કે આ ફાની દુનિયામાં જે જે ઈષ્ટ વસ્તુઓને સંયોગ મુગ્ધ જીવો ઈચ્છે છે તે તે વસ્તુને વિયેગ થતાં વાર લાગતી જ નથી એમ સમજીને સ્વાનુભવી જને સર્વ વસ્તુઓમાં સમભાવ જ ધારે છે. તેઓ ઈષ્ટસંગે હર્ષ કે અનિષ્ટસંગે ખેદ ધારતા જ નથી. તેમ જ ઈષ્ટવિયેગે શેક કે અનિષ્ટવિયેગે આનંદ પણ માનતા નથી. ખરી રીતે જે સઘળા ભાવે અજ્ઞાનીને કર્મબંધનાં કારણ થાય છે તે સર્વ જ્ઞાની પુરુષોને
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy