SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૬૧ ] અત્યન્ત સુખી થાય છે. અન્યથા સ્વછંદ વર્તનરૂપ પ્રમાદાચરણને સેવતો જીવ કદાપિ આ ભીષણ ભવસાગરની યાતનાએથી છૂટી શકતો નથી, પરંતુ મધુબિન્દુસમા તુછ વિષયરસમાં લેભાઈ જઈ, જ્ઞાની–હિતસ્વી જનની હિતશિક્ષાની અવગણના કરી, વિવિધ પાપાચરણે આચરી રાશી લક્ષ જીવા નિવડે ગહન એવા ભવસાગરમાં વિવિધ રૂપે ભટકતો રહે છે. નિગોદસ્થાનરૂપ ભમરીમાં ઘણે લાંબે વખત તે ભમ્યા કરે છે તેથી જ મુમુક્ષુ જીવે સાચે તરણોપાય સાચા દિલથી આદર ઘટે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. પર.] મુસાફર–મુસાફરખાનું. મુસાફરને જેમ મુસાફરી દરમિયાન એગ્ય ખાનપાન, વસ્ત્રાપાત્ર ને જોઈતી ચીજ યથાસ્થાને મેળવી લેવા માટે પૈસાની જરૂર પડે છે ને તેવી ગ્ય સાધનસામગ્રીથી પોતે પોતાની મુસાફરી પૂરી કરી સુખેસમાધે પિતાના અભીષ્ટ સ્થાને આવી શકે છે, તેમ સંસારયાત્રા સુખેસમાધે પૂરી કરી મક્ષસ્થાને પહોંચવા માટે દરેક ભવ્યાત્માએ રત્નત્રયીરૂપી ધર્મસાધન-સામગ્રીને કાળજીપૂર્વક મેળવી તેને પ્રમાદ રહિત ઉપયોગ કરવાની પૂરી જરૂર છે. મુસાફરને જેમ લાંબી મુસાફરી દરમિયાન કઈક પ્રકારની અગવડે વેઠવી પડે છે, કઈક વસ્તુ વગર ચલાવી લેવું પડે છે, રહેવા માટે મુસાફરખાનાને ઉપયોગ કરે પડે છે, અને કેટલી કેટલી મુશીબતો વેઠી અંતે મુસાફરી પૂરી કરી પિતાના મુકામે-સ્વસ્થાને આવે છે ત્યારે તેને પૂરતી સગવડે સાંપડે
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy