________________
( ૧૩ ) વ્યવસ્થાપક સમિતિએ નત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મંત્રી તરીકે નિમણૂક કરી છે અને બેંક ઑફ ઇંડિયામાં પિસા રાખવાની ગોઠવણ કરી છે. શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ, મોતીચંદ, ગિરધરલાલ કાપડીઆ, મેહનલાલ દીપચંદ ચેક્સી અને વાડીલાલ ચતુર્ભુજ ગાંધી એ ચાર નામથી બેંકમાં ખાતું ખોલ્યું છે.
શ્રી કરવિજયજી લેખસંગ્રહનું પ્રેસકેપી અને સંશોધનનું કામ માસ્તર લક્ષ્મીચંદ સુખલાલ શાહ વેતન સહિત કરે છે.
સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કર્ખરવિજયજી મહારાજના જે લેખ “શ્રી જૈનધર્મપ્રકાશ” માં, “શ્રી આત્માનંદપ્રકાશ” માં, જૈન” પત્રમાં અથવા બીજા પત્રમાં આવ્યા હોય તે સર્વનો સંગ્રહ કરીને એક લેખસંગ્રહ બહાર પાડવો. તે પ્રમાણે ભાદરવા શુદિ ૧૦ મે પહેલો ભાગ બહાર પડી ગયો છે, તે પછી બીજો ભાગ પણ બહાર પડી ગયો છે અને ત્રીજો ભાગ આજે બહાર પડે છે. ચોથા ભાગ બહાર પાડવાની સમિતિએ ગોઠવણ કરી છે.
સમિતિએ ઠરાવ્યું છે કે રૂા. ૫૦૧) ભરનારને પાંચ નકલ મફત આપવી, રૂા. ૨૫૧) ભરનારને ત્રણ નકલ મફત આપવી, રૂા. ૧૦૧) ભરનારને એક નકલ મફત આપવી અને તેથી ઓછું ભરનારને અહી કિમતે એટલે પડતર કરતાં પણ કિંમતે આપવી. સામાન્ય જૈન ભાઈ, જેણે કંઈ ભર્યું ન હોય, તેને અધી કિંમતે આપવી. આ ઉપરથી જોઈ શકાશે કે આ સમિતિને ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકાર્યમાં બની શકતી રીતે વધારો કરવાનો છે.
આ લેખસંગ્રહના ભાગે મેઘજી હીરજી બુકસેલર, પાયધુની, મુંબઈ ને ત્યાંથી તથા શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર પાસેથી મળી શકશે.
જે મુનિરાજે, સાધ્વીજીઓ તથા જૈન સંસ્થાઓને આ