________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૯ ] અખંડ આરાધન કરનાર મુનીશ્વરે મેક્ષનાં અક્ષય સુખ મેળવી શકે છે અને મુનિયેગ્ય મહાવ્રતને પાળવાને અશક્ત એવા જે ભવ્ય છે તેનું દેશથી (અંશથી પણ) આરાધન કરે છે તે પણ સ્વર્ગાદિક સદગતિનાં ચઢીયાતાં સુખ સંપાદન કરી અંતે અક્ષય સુખ મેળવી શકે છે, એમ સમજી સાચા સુખના અથી ભાઈબહેને એ પ્રમાદાચરણથી આ અમૂલ્ય માનવભવ વૃથા જવા દેવો નહિ. સ્વસ્વ સ્થિતિ–સંગાદિક અનુસારે સહ કેઈએ યથાશક્તિ વ્રત-નિયમનું પાલન કરી આ નરભવને સાર્થક કરવો જોઈએ.
બુદ્ધિબળને પામી આપણે આપણું હિતાહિત સમજી હિતમાર્ગ જ આદરવા ઉજમાળ થવું જોઈએ. પુન્યને લક્ષ્મી પામીને વિવેકસર તેનો જરૂર જેવા સ્થળમાં સદુપયેાગ કરી લેવો જોઈએ અને વાક્પટુતા ( વચન વદવામાં કુશળતા) પામીને પ્રાણુઓને પ્રીતિ ઉપજે એવાં નરમાશભરેલાં મીઠાશવાળાં અને હિતરૂપ થાય એવાં જ વચન વદવા (બોલવાં) જોઈએ. આ વગેરે દુર્લભ સામગ્રી પૂર્વ પુન્યને પામી જે ભવ્યાત્માઓ સ્વહિત કરી લેવા સાવધાન થાય છે તે પુન્યાત્માઓ અનુકૂળ પ્રસંગને પામી પરજીનું પણ હિત હૈડે ધરી કરી શકે છે અને એ રીતે સ્વમાનવભવને સફળ કરે છે.
આ માનવ ભવને ચિંતામણિ રત્ન સમાન એટલા માટે કહેલ છે કે એના વગર કઈ જીવ કદાપિ પણ અક્ષય અનંત મોક્ષસુખ મેળવી શકતા નથી. આવા ઉદાર આશયથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ માનવભવ દશ દષ્ટાન્ત દુર્લભ વખાણે છે. તે સાથે આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, ઇંદ્રિયપટુતા, શરીરે સુખ,