________________
સૂક્ત મુક્તાવલી
ધર્મવર્ગ (અધિકાર)
(શાર્દૂલવિક્રીડિત) तत्त्वज्ञानमनुष्यसजनगुणा न्यायप्रतिज्ञाक्षमा, चित्ताद्यं च कुलं विवेकविनयौ विद्योपकारोद्यमाः । दानक्रोधदयादितोषविषयास्त्याज्यप्रमादस्तथा, साधुश्रावकधर्मवर्गविषये ज्ञेयाः प्रसंगा ह्यमी ॥ १ ॥ “દેવ, ગુરુ, ધમ–એ ત્રણ તત્વ, જ્ઞાન, મનુષ્યજન્મ, સજજન, ગુણ, ન્યાય, પ્રતિજ્ઞા, ક્ષમા(ઉપશમ), ત્રિકરણ શુદ્ધિ, કુળ, વિવેક, વિનય, વિદ્યા, ઉપકાર, ઉદ્યમ, દાન, શિયળ, તપ, ભાવ, કોધ, માન, માયા, લોભ, દયા, સત્ય, ચેરી, કુશીલ, પરિગ્રહ, સંતોષ, ઇંદ્રિયના વિષય, તેની ત્યાજ્યતા, પ્રમાદ, સાધુધર્મને શ્રાવક ધર્મ-એમ કુલ ૩૬ અધિકારો છે.