________________
[ ૨૪૦ ]
શ્રી કર્ખરવિજયજી ૫. મનુષ્યદયાને સર્વોપરી લેખે, અન્યના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ લેખે અને સહાનુભૂતિ દાખવે.
૬. સત્યનું શોધન કરી સત્યને જ આદરે. ૭. સાચા ધર્મગુરુને શોધી તેનું ખરા જીગરથી સેવન કરે.
૮. સંઘ, સમાજ અને શાસનની ખાતર સ્વાર્થ ત્યાગ કરી જાણે અને આદર્શજીવન જીવી સુખ માને. અન્યની ભૂલે જેવા કરતાં પોતાની ભૂલ જોવે અને અન્યને શિખામણ દેતા પહેલાં પિતે તે આદરે.
૯. પ્રભુને પૂજે, પાપથી પૂજે અને સાચા જીગરની કરણીથી અન્ય મુગ્ધોને માર્ગદર્શક બને અને બને તેટલો સત્યમાર્ગને પ્રચાર કરતાં રહે.
૧૦. લખી જાણે પણ જરૂર પૂરતું જ લખે, વાંચી જાણે પણ જરૂર પૂરતું જ વાંચે અને બોલી જાણે પણ જરૂર પૂરતું જ બેલે.
૧૧. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવને અનુસરી શાસ્ત્રાજ્ઞા પાળવાને ખપ કરે–સરળ ભાવે સત્યભાગે સંચરે.
૧૨. ખેટો ભય ધરે નહીં, સ્વાર્થ ત્યાગ કરતાં ડરે નહિ, સદાય મગ્નતામાં રહી પોપકારરસિક બને.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૨૪]