________________
લેખ સંગ્રહ : ૨ :
[ ર૩૧ ] ૧૫. સાદા, સંયમી ને સરલ વ્યવહારી–પ્રમાણિક થવું. ૧૬. કેઈનું ભલું થઈ શકતું હોય તો વિનાસંકે કરવું. ૧૭. ઉત્તમ કુળ યોગ્ય લજજા-મર્યાદા ચીવટથી પાળવી. ૧૮. દુઃખીજનનું દુઃખ છેદવા તન-મન-ધનથી ઉદ્યમ કરે. ૧૯દુષ–દુષિતને બે પક્ષ ન કરે, સાચાને જ પક્ષ કરવો. ૨૦. સગુણાનુરાગી બની સદ્દગુણેનું અનુકરણ કરતા રહેવું. ૨૧. ઉત્તમ પુરુષના ગુણાનુવાદ કરવા. સત્યપ્રેમી બનવું. ૨૨. આપણા સ્વજન કુટુંબીઓ પણ ધર્મરાગી બને તેમ કરવું. ૨૩. લાંબી નજરે, લાભ-હાનિ વિચારી, ઉચિત કાર્ય કરવું. ૨૪. જીવનવ્યવહારમાં હિતાહિત વિશેષે સમજતા થવું. ૨૫. નિર્દોષ આચારવિચારવાળા વૃદ્ધોને અનુસરવું. ૨૬. અજબ વશીકરણ જેવો વિનય ગુણ અવશ્ય આદરવો. ૨૭. ઉપગારી જનેના ઉપગારને પ્રાણાતે પણ ભૂલ નહીં. ૨૮, આપણાથી બની શકે તેને તેટલે પરોપકાર જરૂર કરો. ૨૯ કઈ પણ હિતકાર્ય સુખે સાધી શકાય તેવા કાર્યકુશળ થવું. ૩૦. મન અને ઈન્દ્રિયને કબજે રાખતાં શીખવું. ૩૧. કલેશ-કંકાસને શમાવવા બનતા પ્રયાસ કરવો. ૩૨. વેર-વિરોધ વધતા અટકે (ઘટે) તેવા સંધિપાળ થવું. ૩૩. સમાજ-સુધારે શુદ્ધ પ્રેમભાવથી કરાય તેવું લક્ષ રાખવું. ૩૪. વિશુદ્ધ પ્રેમથી, ગમે તેનાં હૃદયને જીતી, ધાર્યું કામ કરી
શકાય છે. ૩૫. આક્ષેપક શૈલીથી તે તિરસ્કાર ને વિધ વધતા જાય છે.