SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૧૭ ] ૮. જૂના વિચારના વૃદ્ધ જનેથી અતડા નહીં પડી જતાં, પ્રેમવાત્સલ્યથી તેમનાં દિલ જીતી લઈ, તમારે જે કંઈ તેમને કહેવા જેવું હોય તે શુદ્ધ સરલભાવે વિનયપૂર્વક જણાવતા રહેવું જોઈએ. ૯. તેમનામાં ક્રિયારુચિ વધારે જણાય છે, ને તમારામાં જ્ઞાનરુચિ વધારે હોય છે. તમારે ને તેમને મેળાપ શુદ્ધ હેતુપૂર્વક થાય તો તે લાભદાયક થવા પામે. ફક્ત એક બીજાની રુચિ તોડવાની બુદ્ધિ ન જોઈએ પણ જોડવાની જ હોવી જોઈએ, નહિં તે પડેલું અંતર દિનપ્રતિદિન વધતું જવા સંભવ રહે છે. ૧૦. એક અદના જેન તરીકેનું આપણું કર્તવ્ય પૂરા પ્રેમથી જાણી લેવા દરેકે કાળજી રાખવી જોઈએ; એટલું જ નહિં પણ તેમાંથી બની શકે તેટલું સદાચરણ સેવવા સદાય તત્પર રહેવું જોઈએ. ૧૧. આપણા ધર્માનુયાયીઓની સંખ્યા દિનદિન ઘટતી જવાનાં ખરાં કારણે શેધી કાઢી, આપણે ચેતીને ચાલવું જોઈએ અને આપણા નીકટ સંબંધીઓને પણ ચેતી ચાલવા સમજાવવા જોઈએ. ૧૨. નિઃસ્વાર્થપણે દેશ, સમાજ ને શાસનસેવા કરનારા આપણામાં થોડા જ દેખાય છે. જે થોડા ઘણા હોય તેમને કડવી ટીકા કરી તોડી નહીં પાડતાં તેમની નિઃસ્વાર્થ સેવાની કદર બૂઝી, તેમને ઉત્સાહિત કરવા જોઈએ કે જેથી તેઓ દેશ, સમાજ ને શાસનસેવા અર્થે પિતાથી બનતું કાર્ય કરતા રહે. ૧૩. શુદ્ધ અહિંસાધર્મના અનુયાયી તરીકે દરેકે દરેક
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy