SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૬ ] શ્રી કપૂરવિજયજી ઉત્સાહી જૈન યુવા પ્રત્યે પ્રેરક વચન, ૧. સમયાનુકૂળ સર્વદેશીય કેળવણી સહુ ઉત્સાહી યુવકે એ જાતે મેળવવા સક્રિય ( સફળ ) પ્રયત્ન કરવા અને તેવી જ સુંદર સર્વાંગીણ કેળવણી પેાતાની સંતતિને આપવા-અપાવવા જરૂર લક્ષ્ય રાખવું, જેથી તેનાં મિષ્ટ-મધુરાં ફળના રસાસ્વાદ તેમને પણ સારી રીતે મળી શકે. ૨. કાઇ પણ પ્રકારનું અપલક્ષણ યા કુન્યસન પેાતાનામાં કે સંતતિમાં રહેવા ન પામે તેવું દૃઢ લક્ષ્ય રાખી પ્રવર્તન કરવું ઘટે, જેની આયાદ–સુંદર અસર આસપાસના જીવે પર પણ થવા પામે. ૩. સત્ય, પ્રમાણિકતા, સ્વદેશસેવા, સાધીવાત્સલ્ય, મૈત્રી, મુદિતા, કરુણા, માધ્યસ્થ ભાવના, શુદ્ધ અટલ શ્રદ્ધા પ્રમુખ એક કે અધિક સદ્ગુણના અભ્યાસ સુદૃઢ ભાવથી કરવા જોઇએ. ૪. માર્ગાનુસારીપણાના ૩૫ ગુણ્ણા પવિત્ર ધર્મરત્નની પ્રાપ્તિ અર્થે મેળવવા સારુ જરૂર પ્રયત્ન કરવા જોઇએ. ૫. પાત્રતા વગર પ્રાપ્તિ ન થઇ શકે તેથી ગંભીરતાદિક એકવીશ ગુણાને પણ જરૂર અભ્યાસ કરવા જોઇએ. ૬. આપણા ઉપકારી પૂજયવર્ગની સેવા-ભક્તિ સપૂર્ણ પ્રેમથી કરવા ભૂલવું ન જોઇએ. ૭. અંદર અંદર ક્લેશ, કંકાસ ને કુસ'પથી આપણે બહુ ઘસાતા જઇએ છીએ. દિનદિન વધતા જતા ભયંકર ઘસારા અટકે એવું સમયેાચિત સન આપણે કરી બતાવવું જોઇએ.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy