________________
[ ૧૦૨ ]
શ્રી કપૂરવિજયજી
શુદ્ધ દેવ, ગુરુ અને ધર્માંની સ્તુતિ કરવી, સુગંધી પદાર્થ દેવગુરુની ભક્તિમાં નિ:સ્વાર્થ પણે વાપરવા, નિજ દેહવડે બને તેટલી ઉત્તમ જનાની સેવા-ભક્તિ કરવી અને પરમા પરાયણ થવું.
૩૩, ઇન્દ્રિયપરાજય
ઇન્દ્રિયપરાજય આથી હિતાપદેશ.
જસ
ગજ મગર પતંગા, જે ભૃંગા કુરંગા, ક ઇક વિષયાર્થે તે લહે દુ:ખ સગા; પરવશ પાંચે, તેહનું શુ કહીજે ? મ હૃદય વિમાસી, ઈન્દ્રી પાંચે દમીજે. ૬૯ વિષય વન ચરતાં, ઇન્દ્રી જે ઊંટડા એ, નિજ વશ નવિ રાખે, તેહુ ઢ દુઃખડાં એ; અવશ કર્ણ મૃત્યુ, જ્યું અગુપ્તેન્દ્રી પામે, સ્વવશ સુખ લહ્યા જ્યુ', 'કૂમ ગુપ્તેન્દ્રી નામે. ૬૮
હાથી, મચ્છ-મગર, પતંગ, ભ્રમર, હરણ એ બધાં પ્રાણીઓ એક એક ઇન્દ્રિયનાં વિષયમાં આસક્ત બનવાથી પ્રાણાન્ત દુ:ખને પામે છે, તેા પછી જે પાંચે ઇન્દ્રિયાના વિષચામાં આસક્ત બની રહે તેમનુ તેા કહેવું જ શું ? એમ હૃદયમાં વિચારી સુજ્ઞજનાએ પાંચ ઇન્દ્રિયાનું દમન કરવુ જોઇએ. અન્યથા દ્રવ્ય અને ભાવ ઉભય પ્રાણની હાનિ થવા પામે છે.
વિષયરૂપી વનમાં સ્વેચ્છાએ ચરતા ઇન્દ્રિયારૂપી ઉંટડાઓને જો સ્વવશ કરી લેવામાં ન આવે તે તે દુઃખદાયક નીવડે છે.
૧ મગર-મસ્ત્યા. ૨ ભમરાઓ. ૩ હરણો. ૪ કાચબા.