SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૬ ] શ્રી કરવિજયજી - તેમ બની ન શકે તે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જે શુભાશ સ્વપતિ-પત્નીમાં સતિષ રાખી, પૂર્વોક્ત આચારને યથાશક્તિ આદરે છે અને શીલધર્મને પોતાના પ્રાણ કરતાં પ્રિય લેખી ગમે તેવા વિકટ સંગે વચ્ચે પણ પાળે છે તે ભવ્યાત્માઓ અનુક્રમે આત્મન્નિતિ સાધી જન્મમરણનાં દુઃખથી મુક્ત થઈ શકે છે. ૨૦. તપ ધર્મ તપશ્ચર્યાને પ્રભાવ. તરણી કિરણથી ક્યું, સર્વ અંધાર જાએ, તપ કરી તપથી હું, દુખ તે દૂર થાયે, વળી મલિન થયું જે, કર્મ ચંડાળ તીરે, કિમ તનુ ન પખાળે, તે તપ સ્વર્ણ નીરે. ૧ તપ વિણ નહિ થાયે, નાશ દુકકે, તપ વિણ ન ટળે જે, જન્મ સંસાર ફેરો તપબળે લહી લબ્ધિ, દૈતમે નંદિષેણે, તપબળે વપુ કીધું, વિષ્ણુ વૈક્રિય જેણે. ૪૨ જેમ સૂર્યનાં કિરણ પ્રકાશમાં સર્વ અંધકાર દૂર થાય છે તેમ તપના પ્રભાવવડે સર્વ દુઃખ દૂર થાય છે. વળી કર્મરૂપી ચંડાળના યોગે જે સંયમ શરીર મલિન (દોષિત) થયું હોય તેને તારૂપી શુદ્ધ ગંગાજળથી શા માટે ન પખાળવું ? તપરૂપી નિર્મળ નીરવડે સંયમ–શરીર શુદ્ધ-નિર્મળ થઈ શકે છે. ૧ સૂર્ય. ૨ વિષ્ણુકુમાર મુનિ.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy