________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી
૧૯, શીલ ધ શીલ ધને પ્રભાવ
સ્વપર
અશુભ કરમ ગાળે, શીલાભા દીખાળે, ગુણગણ અનુવાળે, આપદા સવ ટાળે; તસ નર્ બહુ જીવી, રૂપ લાવણ્ય દે, પરભવ શિવ હાઈ, શીલ પાળે જિ કાઇ. ૩૯ ઋણ જગ જિનદાસ-શ્રેષ્ઠી શીળે સુહાયા, તિમ નિરમળ શીલે, શીલ ગંગેવ ગામે કળિકરણ નારદા, એ સમા છે જિ કેઈ, પરભવ શિવ પામે, શીલ પાળે તિ કેઈ. ૪૦ જે સુજ્ઞજના શુદ્ધ આચારવિચારનું સેવન કરી હિત સાધે છે, સ્વસ્રીમાં સતાષવૃત્તિ ધારી પરસ્ત્રીને માતા તુલ્ય અને સ્વપતિમાં સંતોષ ધારી પરપુરુષને પિતા તુલ્ય લેખે છે, તેમ જ પરદ્રવ્યને પથ્થર તુલ્ય અને સર્વ કાઇ પ્રાણીને સ્વાત્મતુલ્ય લેખે છે તે ઉત્તમ ભાઇબહેનેા નિર્મળ શીલ શાભાને ધારે છે, સંતાષવૃત્તિવડે દુષ્ટ વિષયવાસનાને મારી આત્માના સ્વાભાવિક ગુણુાને પ્રગટાવે છે અને પ્રારબ્ધયેાગે આવી પડેલી સકળ આપદાને નિવારી શકે છે. વળી તેઓ નિજ વીસ'રક્ષણુવડે દીર્ઘાયુષી અને છે, રૂપ લાવણ્યાદિક શુભ શારીરિક સ ંપત્તિને પામે છે અને અંતે સકળ ક ઉપાધિને ટાળી અજરામર પદવીને પણ પામે છે.
આ જગતમાં નિર્મળ શીલધર્મના પ્રભાવે જિનદાસ શ્રેણી, સુદર્શન શ્રેણી અને ગાંગેય (ભીષ્મપિતામહ) પ્રમુખ નિર્માળ યશેાવાદને પામ્યા છે; તેમજ વિજય શેઠ અને વિજયા શેઠાણી, જ બૂકુમાર, સ્થૂલભદ્રજી, વજીસ્વામીજી,
૧ ગાંગેય–ભીષ્મપિતામહ.