________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૬૭ ] તજીને અક્ષય વિદ્યા મેળવવા ઉદ્યમ કરો. જે વિદ્વાન ગુરુની પાસેથી વિનય સહિત અખૂટ વિદ્યા મેળવશે તો તે તમને ખરેખર માર્ગદર્શન કરાવશે અને અન્ય અનેક જીવોને પણ આલંબનરૂપ થઈ શકશે. વિદ્યાના બળથી દેવતાઓ તથા મનુષ્ય ખૂબ પ્રશંસા કરે છે. તેનાથી વૈરી લેકે દૂર ભાગે છે અને આખી આલમમાં તેને યશ–ડક વાગે છે, એવો અતુલ પ્રભાવ વિદ્યાપ્રાપ્તિનો છે.
જુઓ ! એ વિદ્યાના પ્રભાવથી જ બાણ અને મયૂર કવિએ ભેજરાજાને રંજિત કર્યો હતો અને શ્રી હેમચંદ્રસૂરીશ્વરે કુમારપાળ ભૂપાળને રીઝવ્યે હતો અને અનેક પરોપકારનાં કામ કર્યા-કરાવ્યા હતાં. તેથી જ શાસ્ત્રકારે વિદ્યાબળને ઘણું જ વખાણ્યું છે. સર્વ વિદ્યામાં આત્મવિદ્યાઅધ્યાત્મવિદ્યા શિરોમણિભૂત છે. એ વિદ્યાની ઉપાસનાથી અંતે દુઃખમાત્રનો અંત કરી, અક્ષય અવ્યાબાધ એવું મેક્ષસુખ મેળવી શકાય છે.
૧૬. ઉપકાર
પરોપકાર કરવા હિતોપદેશ તન ધન તરણાઈ, આય એ ચંચળ છે, પરહિત કરી લેજે, તાહો એ સગે છે; જબ મરણ જરા જ્યાં, લાગશે કંઠ સાહી, કહેને તિણ મે તો, કેણ થાશે સાહાઈ? ૩૩ નહિ તર ફળ ખાવે, ના નદી નીર પીવે, જસ ધન પરમાથે, સે ભલે જીવ છે,