________________
[ ૬૬ ]
શ્રી કપૂરવિજયજી કરી હેરાન થાઓ છે ત્યાંથી નિવૃત્તીને–પાછા ફરીને સવિવેક જાગે એવા વિહિત માગે પુરુષાર્થ કરો, પરમતત્વ પામેલા શુદ્ધ દેવગુરુનું શરણ ગ્રહો અને તેમાં એકનિષ્ઠ રહે, તેમની જ આજ્ઞા અંગીકાર કરો.
૧૫. વિદ્યા વિદ્યા સંપાદન કરવા વિષે હિતોપદેશ. અગમ મતિ પ્રયું જે, વિદ્યયે કો ન ગંજે? રિપુ દળ બળ ભજે, વિદ્યયે વિશ્વ રંજે; ધનથી અખય વિદ્યા, શીખ એણે તમાસે; ગુરુમુખ ભણી વિદ્યા, દીપિકા જેમ ભાસે. ૩૧ સુરનર સુપ્રશંસે, વિદ્યયે વૈરી નાસે, જગ સુજસ સુવાસે, જે વિદ્યા ઉપાસે, જિણ કરી નૃપ ૨, ભેજ બાણે મયૂરે, જિણ કરી કુમરિંદ, રીઝ હેમરે. ૩ર
જે વિનય ગુણવડે ગુરુનું દિલ પ્રસન્ન કરીને વિદ્યા મેળવી હોય છે તે તે મેળવેલી વિદ્યા સફળ થાય છે, તે વડે મતિ નિર્મળ થાય છે અને તેથી અગમ વાત પણ સુખપૂર્વક સમજી શકાય એવી સુગમ થઈ પડે છે. સૂક્ષ્મ બુદ્ધિના પ્રભાવથી કઈ પરાભવ કરી શકતું નથી. શત્રુની સેનાનું બળ તેના ઉપર ચાલતું નથી પણ તે ઊલટું નિર્બળ-નકામું થઈ જાય છે. વિદ્યાના બળથી સહુ કઈ રંજિત થઈ પ્રસન્ન થાય છે. પૈસાનું બળ વિદ્યાબળ પાસે કંઈ બિસાતમાં નથી. વિદ્યાનું બળ અખૂટ છે, તેથી પૈસાનો લાભ તજી, મિથ્યા માયા-મમતા