________________
લેખ સંગ્રહ : ૨ :
૧૩. વિનય
વિનય ગુણનું સેવન કરવા વિષે હિતાપદેશ નિશિ વિષ્ણુ શશિ સાહે, જ્યુ ન સાળે કળાઇ, વિનય વિષ્ણુ ન સાહે, ત્યું ના વિદ્યા વડાઈ; વિનય વહી સન્નાઈ, જેહ વિદ્યા સહાઈ, વિનય વિણ ન કાંઈ, લેાકમાં ઉચ્ચતાઇ. ૨૭ વિનય ગુણ વહીજે, જેથી શ્રી વરીજે, સુર નતિ લીલા, જેહ વ્હેલા લહીજે; ૪પરતય શરીરે, પેસવા જે સુવિદ્યા, વિનય ગુણથી લાધી, વિક્રમે તેહ વિદ્યા. ૨૮
જેમ ચન્દ્ર સોળે કળાએ સંપૂર્ણ હાય તેમ છતાં પણ તે રાત્રિ વગર શૈાભે નહિ–શેાભા પામે નહિ, તેમ ગમે તેવી અને ગમે તેટલી વિદ્યા આવડતી હાય પણ નમ્રતા ગુણુ વગર તે શેાભે નહિ. વિનય ગુણવડે મેળવેલી વિદ્યા સફળ અને સહાયરૂપ થાય છે અને વિનય વગર લેાકમાં લાજ-પ્રતિષ્ઠા કે આબરૂ વધતી નથી. વિનય ગુણવડે આ લેાક સંબંધી અને પરલેાક સંબંધી લક્ષ્મી-લીલા પ્રાપ્ત થઇ શકે છે. વિનય ગુણથી નિ:સ્પૃહી મહાત્મા પુરુષા પણ પ્રસન્ન થઇ વિનીત–શિષ્ય ઉપર તુષ્ટમાન થાય છે. વિક્રમાદિત્યે જે પરકાયપ્રવેશિનીપરશરીરપ્રવેશ વિદ્યા પ્રાપ્ત કરી અને નાગાર્જુને જે આકાશગામિની વિદ્યા પ્રાપ્ત કરી તે વિનય ગુણુનેા જ પ્રભાવ જાણવા. વિનયગુણવડે ગમે તેવા કટ્ટો શત્રુ પણ વશ
૧ લક્ષ્મી. ૨ સંપત્તિ. ૩ ઉતાવળા. ૪ પરકાયપ્રવેશ વિદ્યા.