SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૪ ] શ્રી કરવિજયજી ૧૧ જે માણસના આનંદને આધાર રમણીય દેખાવ, સુંદર બગીચા, અનુકૂળ મિત્રમંડળ, મધુર વચનો ઇત્યાદિ બાહો વસ્તુઓ ઉપર જ છે, તેને ખરેખર અભાગી જ સમજવો જોઈએ. ૧૨ અંધારાની સાથે લડાઈ કરવાથી શું અંધારું જતું રહેશે? પ્રેમનો અર્થ જ સાંદર્ય જેવું એ છે. ૧૩ ખરે મુક્ત માણસ તો તે જ છે કે જેને અંતરપ્રકાશ તેની આસપાસની સઘળી વસ્તુઓ ઉપર પડે અને જેના અંત:કરણમાંથી કેવળ દિવ્ય પ્રેમના કિરણે જ નીકળ્યા કરે. ૧૪ સહુને સ્વાત્મા સમાન લેખવવા જોઈએ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૦. ] ( ૨ ) પવિત્રતા એટલે શું? ૧ દેહાત્મભાવ, ઈન્દ્રિયાસક્તિ વગેરેના ક્ષુદ્ર વિચારોથી આત્માને દૂષિત ન થવા દે એ જ ખરી પવિત્રતા છે. બાહ્યા વિષયોનાં દાસ ન થઈ બેસતાં તેથી અલિપ્ત રહેવું એ જ પૂર્ણ પવિત્રતા છે. ૨ પ્રેમમૂર્તિ બનીને જીવવામાં જ મજા છે. ૩ ઊંચા પ્રકારને સ્વાર્થ એ જ ખરો પરમાર્થ છે. ૪ બીજા ઉપર આપણે ઉપકાર કરીએ છીએ એવી મુદ્રભાવના (અહંવૃત્તિ) કર્તત્વ અભિમાન આપણુ આત્માનું વિસ્મરણ કરાવે છે. ૫ જે પ્રેમસ્વરૂપ બની જાય છે તે પિતે જ ખરો કાયદો હેવાથી બીજા સર્વે કાયદા પર શ્રેષ્ઠતા ભેગવે છે. તેની મરજી મુજબ બધા નિયમો બંધાય છે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy