SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ પ ] શ્રાવક યંગ્ય દુઃખહરણું કરણનું કંઇક સવિસ્તર ખ્યાન ૧ ચાર ઘડી જેટલી રાત્રિ શેષ (બાકી) રહી હોય ત્યારે શ્રદ્ધાવંત, વિવેકવંત અને ક્રિયાચિવંત ભાઈ બહેનોએ જાગ્રત થઈને જરૂર જણાય તો શીધ્ર દેહશુદ્ધિ-મળશુદ્ધિ કરીને, સ્વસ્થ ચિત્ત થઈને સાવધાનપણે ભવસમુદ્રને પાર પમાડનાર શ્રી નવકાર મહામંત્રનો જાપ મનમાં ગણશરૂ કરે. અરિહંતાદિકના ઉત્તમ ગુણનું એકાગ્રપણે ચિતવન કરતાં, અત્યંત નમ્રપણે એ ગુણનું અનુમોદન કરતાં એવા જ ઉત્તમ ગુણે આપણા આત્મામાં પ્રગટે એમ લક્ષ પરેવીને ભાવવું. ૨ સ્થિર મન કરીને પોતાના ઈષ્ટ દેવ, ગુરુ અને ધર્મનું સારી રીતે સ્વરૂપ વિચારવું, તેમની સંગાતે પોતાનો કે સંબંધ છે, અથવા હોવો જોઈએ અને તેમનાથી શું પ્રાપ્ત કરવા યોગ્ય છે ? તે કેવી રીતે કેવા સાધન બળથી પ્રાપ્ત કરી શકાય એમ છે? તેમાં કેમ વિલંબ કરાય છે? તેના કયા કયા બાધક કારણ છે ? તે કારણે શી રીતે દૂર કરી શકાય એમ છે ? અને તે માટે કેવા ઉપાય આદરવા શક્ય છે? એ વગેરેનો વિચાર કરવો જોઈએ. વળી પિતાના કુળાચાર અને વ્યવસાય-આજી. વિકાના સાધન સંબંધી પણ વિચાર કરવો જોઈએ. તે પોતાના ઈષ્ટ–હિત સાધવાના માર્ગમાં કેવા અને કેટલા સાધક બાધકસહાય કરનારા અને વિન્ન કરનારા છે તેને પણ ખ્યાલ કરી જ જોઈએ. ગમે તે રીતે પિતાને ઈષ્ટ માર્ગ સરલ કરવા માટે શુભ વિચારબળથી પ્રયત્ન કરવો જોઈએ અને તે માટે જે જે ઉત્તમ ઉપાય આદરવાને શક્ય જણાય તે આદરવા જોઈએ.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy