________________
અમારા માબાપે અમારા માટે શું કર્યું' એવો વિચાર આવે તો તરત જ બધાં કામ પડતાં મૂકીને અનાથાશ્રમમાં પહોંચી જજો, ને ત્યાં લાચાર સ્થિતિમાં રહેતાં બાળકોને જોઈને વિચાર કરો કે તમારી માતાએ એ બાળકોની જેમ તમને તરછોડી ન દીધા એ એનો મોટો ઉપકાર નથી શું ?
બે ત્રણ વરસ પહેલાં આચાર્ય શ્રી સુશીલકુમારજી મહારાજની સાથે રાજકોટ જવાનું થયું. ત્યાં કેટલાંક પ્રવચનો યોજાયાં હતાં. એવા પ્રવચન નિમિત્તે ત્યાં પણ એક અનાથાશ્રમમાં જવાનું થયું.
ત્યાં તો નાનાં-નાનાં ત્રણ-ચાર વરસના લગભગ ૧૦૦ અનાથ બાળકો હતાં. અમે એ આશ્રમની મુલાકાત લીધી ત્યારે એ બાળકોને જમવાનો સમય હતો. આશ્રમની સંચાલિકા બહેનો એ નાના નાના ભૂલકાંઓને પ્રેમથી જમાડતી હતી પણ છતાં “મા”ની ખોટ કયાંથી પૂરાય ?
એક સગી મા પોતાના બાળકને ખવડાવે ને એક પારકી સ્ત્રી બીજાના બાળકને ખવડાવે એ બે વચ્ચે ફરક છે તે જોવા મળી ગયો.
તમે જમ્યા પછી તમને ખાવા-પીવાનું કશું ભાન નહોતું ત્યારે તમારી માતાએ કોળીયા તૈયાર કરીને તમારા મોંમાં પ્રેમથી મૂકયા તેના કારણે જ તમારું શરીર બંધાયું છે એની તમને ખબર છે ?
અને છતાં અમને જન્મ આપ્યો કે ઉછેર્યા એમાં શું મોટો ઉપકાર કર્યો અમારી માએ ?' એમ કહેવાની હિંમત કરો છો ? સોક્રેટીસની અભૂત જીવનદ્રષ્ટિઃ
સોક્રેટીસની પત્નીએ પોતાના છોકરાને કંઈક ઠપકો આપ્યો
૨૯