________________
માતૃભકત મહાવીર
ભગવાન મહાવીરનાં માતા ત્રિશલાનો ગર્ભકાળ પૂરો થયો ને એમણે પુત્રને જન્મ આપ્યો.
રાજા સિદ્ધાર્થના પરિવારમાં આનંદ આનંદ છવાઈ ગયો. સમગ્ર નગરીમાં વર્ધમાનકુમારના જન્મનો મહોત્સવ મંડાયો.
એ જ્યારથી ગર્ભમાં આવ્યા ત્યારથી રાજા સિદ્ધાર્થને ત્યાં ધન, સમૃદ્ધિ, યશ-કીર્તિ, આરોગ્ય વિગેરે બધું વધતું જ રહ્યું હતું. એટલે એ લોકોએ નક્કી કર્યું હતું કે જ્યારે આપણે ત્યાં પુત્ર જન્મ થશે ત્યારે એનું નામ વર્ધમાન એવું આપીશું... અને એ રીતે પુત્રનું નામ ‘વર્ધમાનકુમાર' પાડવામાં આવ્યું.
વર્ધમાનકુમા૨ ધીમેધીમે મોટા થઈ રહ્યા છે, ઉછરી રહ્યા છે. એ સાત-આઠ વર્ષના થયા ને એમણે કેટલાક મિત્રો બનાવ્યા. મિત્રોની
૧૫