________________
૨૮૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર શ્રેષ્ઠ જણાય છે. કારણ કે બીજે ઠેકાણે કોઈ સૂત્રપંચાંગીમાં વીતરાગ વિના બીજા દેવની પાસે સમાધિ-બોધિની યાચનાનો પાઠ જોવામાં આવતો નથી. માટે સમ્મત્તરૂદ્ધ એ પદ કહેવું યુક્ત છે. પણ શ્રાદ્ધપ્રતિક્રમણચૂર્ણિ તથા વૃત્તિમાં સમ્મદિ સેવા એ પદનું જ વ્યાખ્યાન જોવામાં આવે છે.
તેથી
सावयघरंमि वर हुज्ज चेडओ नाणदंसणसमेउ । मिच्छत्तमोहिअमई मारायाचक्कवट्टीवि ॥१॥
એ ભાવનાએ નય અપેક્ષાએ સહકારીકારણ દેવાદિકનું બતાવ્યું એ અભિપ્રાયે સમ્મદદ દેવા એ પદ કહેવું પણ યુક્ત છે. પણ આગળની સાત ગાથા ન કહેવી તે કથન સંભવતું નથી. તત્ત્વ સર્વજ્ઞ બહુશ્રુત જાણે. પણ જેવી રીતે જૈન સિદ્ધાંતોમાં પાઠ તથા પાઠાંતર પૂર્વાચાર્ય કહેતાં આવ્યાં તેવી રીતે અમે પણ કહીએ છીએ. અહીં કોઈ આત્મારામજી સરખા પ્રશ્ન કરશે જે એની ટીકામાં પાઠાંતર કહ્યો નથી તો તમે કેમ કહો છો ? તેનો જવાબ એ છે કે શ્રી પાક્ષિકસૂત્રમાં મજુરામિણ સબૅહિં પUTUાં એવો પાઠ છે તેનું વ્યાખ્યાન ટીકાકારે કર્યું, પણ પીરામીએ પાઠનું વ્યાખ્યાન કર્યું નહીં, તે પાઠાંતર પણ લખ્યો નહીં. તોપણ શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ ટીકાને અનુસાર શ્રી પાક્ષિકસૂત્રનો બાલાવબોધ કર્યો તેમાં પારસમીપ એ પાઠનો પાઠાંતર લખ્યો તથા શ્રી અજિતશાંતિસ્તવ અવસૂરિમાં વિશ્વય વીડમાલિય સંવચ્છRI33 વિદેય એ પાઠને પાઠાંતર કહી વ્યાખ્યાન કર્યું, તોપણ મૂળ પાઠની બહુ પ્રતોમાં દેખાતો નથી. પણ વિક્રમ સંવત ૧૯૩૬ની સાલમાં શ્રી બૃહત્ ખરતરગચ્છીય શ્રી લક્ષ્મીપ્રધાનગણિના શિષ્ય પંડિત શ્રી મુક્તિકમલમુનિએ મોહનગુણમાળા નામનું પુસ્તક છપાવ્યું તેમાં વિમgય વાડમાસિય સંવચ્છરાય વિવાદે એવી રીતે પાઠાંતર લખ્યો છે. તથા અવચૂરિકારે ગતશતિસ્તવં ત્રિશત્પત્નિ ત્રયવિશલ્યधिकचतुर्विंशतिशताक्षरनिबद्धं अन्यकर्तृतगाथाद्वयंसंयुक्तं तु સતનવર્યોધવવિંશતિશતાક્ષરાત્મક્યું છે એમ ગાથા તથા અક્ષરની સંખ્યા લખી. પણ વિક્રમ સંવત ૧૯૩૦, સન્ ૧૮૭૪માં અજિતશાંતિસ્તવન