________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
આવશ્યકસૂત્ર શ્રુતસ્થવિરકૃત છે એમ પંચાશકાદિક ટીકાકારોના અભિપ્રાયથી સંભવે છે, પણ ૪૩ ગાથા તો ગણધરાદિકૃત છે અને આગળની સાત ગાથા અન્યકર્તૃક છે એવો લેખ કોઈ સુવિહિત ગ્રંથોમાં દીઠામાં (જોવામાં) આવતો નથી, વળી ૪૩ ગાથા પર્યવસાન ટીકા પણ એની જોવામાં આવતી નથી. માટે એ વંદિત્તાસૂત્રની ૫૦ ગાથા શ્રુતસ્થવિરકૃત સંભવે છે અને કદાચિત્ ૪૩ ગાથા પર્યવસાન સુવિહિત ગ્રંથોમાં લેખ હોય તથા ૪૩ ગાથાની ટીકા હોય તોપણ આગળની ૭ ગાથા શ્રુતવિકૃત જ છે. કેમ કે નાવંતિ ઘેયારૂં શું ખાવંત વ્યવિ માન્દૂ ર્ એ બે ગાથા ચૈત્યવંદન તથા પયજ્ઞાસૂત્રની છે અને વિરમંઘિય પાવપ્પનાસળી રૂ એ ગાથા પણ પયજ્ઞાની છે તથા
૨૮૧
मम मंगलमरिहंता सिद्धा साहु सुअं च धम्मो अ । सम्मत्तस्यसुद्धि दिंतु समाहिं च बोहिं च ॥७६॥ એ ગાથા આરાધનાવિહિમન્ગપયજ્ઞાની છે અથવા मम मंगलमरिहंता सिद्धा साहु सुअं च धम्मो अ । खंति गुत्ति मुत्ति अद्दवयामद्दवं चेव ॥१॥
એ ગાથા પાક્ષિકસૂત્રની છે. વળી ડિસિદ્ધાળું રળે 、 એ ગાથા આવશ્યકનિયુક્તિની છે અથવા ગ્રામેમિ સવ્વ નીવે ૬ વમાં આતોય ૭ એ બે ગાથા સાધુપ્રતિક્રમણસૂત્રની છે. માટે એ સાતે ગાથા શ્રુતસ્થવિરકૃત છે પણ સદિઠ્ઠી લેવા તથા સમ્મત્તસયસુદ્ધિ એ બે પદમાં ફેરફાર છે તે પાઠાંતર સંભવે છે. તથા જેમ પાક્ષિકસૂત્રની ગાથામાં બે પદોનાં પાઠાંતર છે તેમ અહીં એક પદનો પાઠ છે. કેટલાક એમ પણ કહે છે કે દેવતા બોધિ દેવાનો ઉપક્રમ કરે તે સાવદ્ય છે તથા દેવાદિકોને વિષે પ્રાર્થના-બહુમાન કરવાથી સમકિત મલિન થાય તે માટે “સમ્મદી લેવા' એ પદ ન કહેવું અને કેટલાક કહે છે કે તે દેવાદિક મોક્ષ આપે એવી પ્રાર્થના કરી બહુમાન કરીએ દોષ લાગે, પણ ધર્મધ્યાન કરતાં અંતરાય નિરાકરણ કરીને પરલોકમાં બોધિ-જિનધર્મ પ્રાપ્તિ આપો એ પ્રાર્થનામાં દોષ નથી. માટે સમ્મદિડી દેવા એ પદ કહેવું. એ પૂર્વોક્ત બે પક્ષના અભિપ્રાયમાં પહેલા પક્ષનો અભિપ્રાય