SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ગાન, હાસ્ય, કૃત્રિમ હાસ્ય કે રૂદનનું શ્રવણ કરવું જોઈએ નહિ. (6) નિગ્રંથે ભૂતકાળમાં સ્ત્રીઓ સાથે માણેલી મોજમજાઓ કે મનોરંજનોને પોતાની સ્મૃતિમાંથી ફરીથી યાદ કરવા જોઈએ નહિ. () નિર્ગથે સારી રીતે રાંધવામાં આવેલો અતિ સ્વાદિષ્ટ આહાર ગ્રહણ કરવો જોઈએ નહિ. SBE-45 1 Page 118, Lec. XXII 2 Page 180, Lec. XXVII, V. 14. 3 Page 35, Lec. VIII, Kassapa. 1 P. 5, Lec. 1 Uttaradhyayan. 2 Page 74-75, Sec. XVI. (8) નિગ્રંથે વધુ પડતું ખાવું કે પીવું જોઈએ નહિ. (9) નિગ્રંથે આભૂષણો-અલંકારો ધારણ કરવા જોઈએ નહિ. (10) નિJથે સંગીત, રંગો, સ્વાદો, સુગંધ અને લાગણીઓની પરવા કરવી જોઈએ નહિ. ઉપદેશકે માત્ર આ નિયમો જ રજૂ કર્યા નથી, પરંતુ તેમણે તેને માટેનાં કારણો પણ વર્ણવ્યાં છે. જો એક સંન્યાસી આચાર, વિચાર અને વાણીમાં શુદ્ધ હોય તો પણ તેની પવિત્રતા અથવા વિષયાસક્ત ઈચ્છાઓ અથવા ખોટું કર્યાના તીવ્ર પશ્ચાતાપની લાગણી અથવા તે નિયમો તોડી નાખશે અથવા તે કામવાસનાનો ગુલામ બની જશે અથવા તે ચિરકાલિન ભયંકર બીમારીનો ભોગ બની જશે અથવા જેની કેબાલીને ઢંઢેરો પીટીને જાહેરાત કરી હતી એવી શ્રદ્ધાનો ત્યાગ કરશે એવી લાગણી પ્રત્યે ચોક્કસપણે સંદેહ પેદા થાય છે. - ઉપરોક્ત સામાન્યીકરણોની જેન અંગોમાંથી શોધી કાઢેલાં આબેહૂબ પાત્રો વડે ચકાસણી કરવી યોગ્ય ગણાશે. તેઓ બધા જ બદમાશ હતા એમ કહેવું એ તેમને પક્ષે ન્યાયયુક્ત ગણાશે નહિ. એમાં સંદેહ નથી કે તેઓ પૈકીના કેટલાકે સ્ત્રી-દાનવોની જેમ જ સંન્યાસીઓને ફોસલાવીને અનીતિના માર્ગે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તદુપરાંત તેમના સિવાય અન્યો પણ હતા કે જેઓ આરાકાની પત્ની શ્રીમતીની જેમ સાચો પ્રેમ કરવા માટે શક્તિમાન હતા. ધીરજપૂર્વક તેણીએ ઘણાં વર્ષો સુધી - ૩૦૫ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy