________________
I જાણે સમ્યકત્વ અને ચારિત્રનો વારસો જ હશે ?
જૈન શાસનમાં ત્યાગની જ પ્રધાનતા છે. | વિચારો કે આ આખોય બનાવ કેવો ઉત્તમ અને અનુપમ છે? જો કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તો આ ઉત્તમ અને અનુપમ બનાવોની ખોટ નથી જ, પણ ઈતર દર્શનોની દૃષ્ટિએ તો આવો બનાવ ખરેખર જ હેરત પમાડે તેવો છે અને ભવાભિનંદીઓને હૈ, દુનિયામાં ઉત્પાત મચાવે એવો પણ આ બનાવ છે. કારણકે ત્યાગ, આ જેવું અને જેટલું પ્રધાનપદ શ્રી જૈનદર્શનમાં ભોગવે છે તેવું અને છે તેટલું ઈતર દર્શનોમાં નથી જ ભોગવતો, એટલું જ નહિ પણ થોડી છે ઘણી ત્યાગની પૂજા જો ઈતર દર્શનોમાં થતી હોય, તો તે પણ શ્રી હૈં, વીતરાગ પરમાત્માના શાસનનો જ પ્રભાવ છે, અને ભવાભિનંદી ૪ આત્માઓને ત્યાગની સાથે વૈર જ છે, કારણકે ત્યાગ એ એમની $ ભવાભિનંદિતાનો સમૂળ નાશ કરનાર છે. એટલે એ બિચારાઓને તો ત્યાગ શબ્દથી પણ ધ્રુજારી છૂટે એમાં કશું જ આશ્ચર્ય નથી!
બાકી પ્રભુશાસનની આરાધનામાં જ મનુષ્ય જન્મની સફળતા અને સાર્થકતા સમજતા પિતાના પુત્રો ગમે તેવા મોહક પ્રસંગોને લાત મારીને પણ પરમ વીતરાગ શ્રી જિનેશ્વરદેવોએ &િ પ્રરૂપેલા પરમત્યાગના પુનિત પંથે વિચરે એમાં નવાઈ પામવા જેવું શું છે? પરણવા મોકલેલો પુત્ર વિના મુદ્દે પણ માર્ગમાં જ સંયમધર
જાણે સમ્યક્ત્વ અને શત્રનો વારસો જ હશે ?...૨