________________
કે મુંઝાયા વિના માનાપમાનની ચિંતા છોડી પ્રભુ આજ્ઞા મુજબ છે પ્રભુમાર્ગની રક્ષાના પ્રયત્નો અવિરતપણે ચાલુ રાખવા જોઈએ. આ જાત છે બધું કહીને આપણે એ જ કહેવા માંગીએ છીએ કે ક્લેિશ્વરદેવના શાસનમાં વૈરાગ્ય એ કોઈ નવી ઉપજાવી કાઢેલી વસ્તુ નથી પણ સ્વાભાવિક જ વસ્તુ છે.
| સુપિતાની કેવી સુંદર મનોદશા ! શ્રી વજુબાહુના પિતા વિજયરાજાની વિચારણાથી આપણે એ વસ્તુ પણ સારામાં સારી રીતે સમજીએ છીએ કે પિતાપણાની ફરને સમજનારા સુપિતાઓની શ્રી નશાસનની પ્રાપ્તિના પ્રતાપે કેવી સુંદર મનોદશા હોય છે ! એ સમજવા માટે આપણે જોઈએ કે શ્રી વજુબાહુની દીક્ષાના સમાચાર સાંભળીને તે પુણ્યશાળીના પરમપુણ્યશાળી પિતા કેવી જાતની વિચારણા કરે છે !
એ વિચારણાનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા આ પ્રસંગે જણાવે છે કે
वज्रबाटुं प्रव्रजितं, श्रुत्वा विजयभूपतिः । વરં લીનોવો નહિં,-મિત વૈરાથમાસન્ ?.
પોતાના પુત્ર શ્રી વબાહુને પ્રવ્રજિત થયેલ સાંભળીને વિજય ભૂપતિબાળ એવો પણ આ સારો પણ હું સારો વહિ-આ પ્રમાણે વિચારી વૈરાગ્ય રૂપ
પામ્યા.
ઉત્તમ કુળનો જે અજુમ મહિમ....૧
ભાગ્યવાનો ! શ્રી જૈનશાસનને પામવાથી પિતાપણાની 8 ફરજો સમક્વારા સુપિતાઓની કેવી સુંદર મનોદશા હોવી જોઈએ એ વાતને ખૂબ-ખૂબ વિચારો ! પોતાનો બાળપુત્ર, કે જેને પોતે પરણવા મોકલેલ અને પરણીને પાછો ક્યારે આવે એની રાહ જોઈને બેઠેલા પિતા - 'પરણવા ગયેલા પુત્રે પરણીને પાછા આવતા રસ્તામાં જ મુનિવરનો યોગ પામીને દીક્ષા લીધી'- આવા પ્રકારની વાત સાંભળે અને સાંભળીને ‘આ બાળ પણ સારો પણ હું સારો નહિ. એ પ્રમાણે વિચારે તથા એ પ્રમાણે વિચારીને વૈરાગ્ય પામે એ શું ઓછી વિચારણીય વસ્તુ છે?