________________
તો ઉલ્ટો આનંદ થયો. ત્યારે આજની સ્ત્રીઓ તો કહે છે કે અમને છે પૂછે કેમ નહિ ?” જોઈએ કે હવે શું થાય છે? હું બતાવી દઉં ત્યારે જ છે ખરી !'
જૈનશાસનની કેવી સુંદર મર્યાદા | વિચારો કે પિતાની આજ્ઞા પાળવામાં પત્નીને પૂછાય ખરું કે ? હું પિતા પહેલાં પત્ની ? પિતા પત્નીને લાવ્યા કે પત્ની પિતાને લાવી ? ? ખરેખર, વિચાર અને વિવેકહીન જમાનામાં આજે તો પત્ની ખાતર પિતાને પણ ભૂલી જવાય છે. ખરે જ એ લક્ષણ નરાધમોનું છે. કલ્પસૂત્રમાં આવે છે કે તિર્યંચોને મા-બાપનો ખપ, ગરજ હોય ત્યાં સુધી અને મનુષ્યોમાં પણ એવા અધમ હોય છે કે પત્ની મળે કે માબાપને ભૂલી જાય. અન્યથા પિતાની આજ્ઞાને પાળવામાં જ પત્નીની આજ્ઞા લેવાની ન જ હોય. પહેલી વાત તો એ જ છે કે પત્નીની આજ્ઞા જ ન હોય એટલું જ નહિ પણ પિતાની આજ્ઞાના પાલનમાં તો પત્નીની અનુમતિ પણ લેવાની ન હોય. તેમજ ગુરુની આજ્ઞાપાલનમાં અવરોધ કરતી માતા-પિતાની આજ્ઞાનું પાલન પણ જરૂરી નથી. કારણકે એકાંત કલ્યાણકારી ગુરુની આજ્ઞાનું પાલન કરવામાં માતા-પિતાની એવી આજ્ઞા માનવાને આત્મા બંધાયેલો નથી. એ જ રીતે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જતી ગુરુની આજ્ઞા માનવાને પણ કોઈ બંધાએલા નથી. કેવી સુંદર મર્યાદા !
આથી સમજો કે માતા-પિતાની આજ્ઞા પાળવા ખાતર પત્નીની ૨ અનુમતિની જરૂર નથી. અનુમતિ મળે તો સારી વાત કે જે વિધ્વ આવે અને કામ સારું થાય. એ જ રીતે ગુરુની આજ્ઞાના પાલનમાં , માતા-પિતાની આજ્ઞાની આવશ્યકતા નહિ. મળે તો સુંદર. સોનું ને સુગંધ બે ય મળ્યાં. શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાથી જો ગુરુની આજ્ઞા આઘી જાય તો એ ગુરુપણ આઘા. ખરેખર, આ શ્રી જૈનશાસન છે. જે જે જૈન, જિનની આજ્ઞાથી આઘે જતા ગુરુને પણ ન માને અને ગુરુની આજ્ઞાના પાલનમાં વાંધો આવતો હોય તો મા-બાપની જે આજ્ઞાની પણ દરકાર ન કરે. એ વળી મા-બાપની આજ્ઞાના પાલન ખાતર પત્નીને પૂછે ? વળી પત્નીધર્મને સમજનારી પત્ની, પતિ સંયમ લેવા જાય ત્યાં વચ્ચે આવે ? શાસ્ત્ર કહે છે કે પતિ ઉન્માર્ગે
શ્રી રામચંદ્રજીનો
વનવાસ...૧૨