________________
-)c)
.
(સાત.
૨૯
રિમ-લક્ષમણને
સંયમ લે, એટલા માટે શ્રી રામચંદ્રજી રાજપાટનો ત્યાગ કરી તથા દેશનો પણ ત્યાગ કરી વનમાં જવાને ચાલી નીકળે એ નાનીસૂની વાત નથી. પિતાની અનુજ્ઞા લઈ અને માતાને નમી શ્રી રામચંદ્રજીને જતા જોયા કે શ્રીમતી સીતાદેવી પણ સસરાજી શ્રી દશરથરાજાને નમી સાસુ અપરાજિતા પાસે પોતાના પતિદેવ શ્રી રામચંદ્રજીની પાછળ જવાની રજા લેવા આવ્યાં. પણ મને પૂછે કેમ નહિ ?” એ વિચાર સરખો પણ શ્રીમતી સીતાદેવીને ન આવ્યો.
આ પ્રસંગે વર્તમાનમાં ચાલી રહેલા સ્ત્રીના હક્વી કારમી ચર્ચાને પણ જરા ચર્ચીએ. ‘મને પૂછ્યા વગર ગયા ? જાઉં છું એમ પણ કેમ ન કહાં ? હિસાબમાં જ નહિ ?” આ બધા વિચાર શ્રીમતી સીતાદેવીને ન થયા. શ્રીમતી સીતાદેવીની વય નાની હતી. પરણીને આવ્યા બાદ થોડા જ સમયમાં આ ઉત્પાત થયો છે. એટલે એમને લાગી આવવાનો સંભવ ખરો, પણ એમને એવું કંઈ પણ થતું જ નથી શ્રીમતી સીતાદેવીને તો એમ કહેવાનો હક્ક પણ હતો કે મને પૂછતા કેમ નથી ? કેમ કે એમની પતિ પ્રત્યેની ભક્તિ અનુપમ હતી. આજ્ઞાપાલન અદ્વિતીય હતું. પણ એમને પોતાની ફરજનો ખ્યાલ હતો. જેથી એવા હક્કે એમને ઉન્માર્ગે ન જ દોર્યા. જ્યારે આજની ભક્તિ અને આજ્ઞાપાલનથી પણ પરવારી બેઠેલી સ્ત્રીઓને એવું કશું જ કહેવાનો અધિકાર નથી. કારણકે જેમ અણીના સમયે હાજર ને હાજર ઉભા રહેનાર નોકરને પોતાનો અણીનો સમય સાચવવાનું શેઠને કહેવાનો અધિકાર છે, પણ શેઠના અણીના સમયે ભાગી જનાર નોકરને એ અધિકાર નથી. અને એ છતાં પણ જો નોકર અધિકાર મેળવ્યા વિના રહે તો શેઠ
પણ કહી દે કે હું તને ઓળખું છું.' તારી ભક્તિ, આજ્ઞાપરાયણતા હ છે તથા એક નિષ્ઠાને હું જાણું છું. આ છતાં પણ અધિકાર બહારનું
કહેવાનો હક્ક આજની સ્ત્રીઓ માંગે છે. જ્યારે શ્રીમતી સીતાદેવીને આજની સ્ત્રીઓની જેમ એવો કશો વિચાર જ ન આવ્યો. એ તો ઉલ્ટા આનંદ પામે છે કે મારા પતિ વીરપુરુષ છે અને પિતાના વચનપાલન ખાતર જે રાજપાટ તથા દેશનો ત્યાગ કરે એવા પતિને મેળવનાર હું કેટલી ભાગ્યશાળી ! આ રીતનો શ્રીમતી સીતાદેવીનો
[