________________
સત... ભાગ-૨
રામ-મણને
સૂનું છે ? નહિ જ, કારણકે પિતાએ આ વરદાન અંગીકાર કરેલું છે એટલે પિતાજીને આ વરદાનને આપવું જ જોઈએ. મારી હાજરીમાં પિતાજી આ વરદાન કોઈ રીતે આપી શકે તેમ નથી, કારણકે મારી હાજરીમાં પિતાજી આપવા ધારે તો પણ ભરતને રાજ્ય આપી શકે તેમ નથી, જ્યાં સુધી શ્રી ભરત રાજ્યનો સ્વીકાર ન કરે ત્યાં સુધી પિતાજી આ મોટા ઋણથી છૂટી શકે તેમ નથી. અને મારી હાજરીમાં શ્રીભરત રાજયનો સ્વીકાર કરે તેમ નથી. એ કારણે મારે વનમાં જવું
જ જોઈએ અને મારા જેવા પુત્રના વનમાં જવાથી તારા જેવી | માતાએ દુ:ખ કરવું એ યોગ્ય નથી. મારી માતા એ કોની પત્ની ?
પિતા શ્રી દશરથમહારાજાની પત્ની આવી વિકલતા કરે જ કેમ? ત જ કરે છે માતા ! શાંત થાઓ.
શ્રી રામચંદ્રજીની અજબ પિતૃભક્તિ આ વગેરે અનેક પ્રકારના યુક્તિપૂર્વકના વચનો દ્વારા શ્રીમતી અપરાજિતા દેવીને શ્રી રામચંદ્રજીએ અનેક રીતે સમજાવી. એક પુત્ર હાથે કરીને આપત્તિ વ્હોરી લે એમ કરતાં અટકાવનારી માતાને આવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે એ પુત્રમાં કેવા પ્રકારની સુપુત્રતા? ખરેખર, શ્રી રામચંદ્રજીની પિતૃભક્તિ અને માતૃભક્તિ અજબ છે. પિતાનું ઋણ ફેડવા રાજ્યનો હક્ક જતો કરે અને તેમ કરવા છતાં પણ ઋણ ન ફેલાય તો વનવાસ સ્વીકારે એ પિતૃભક્તિ સામાન્ય કોટિની ન જ હોઈ શકે. પોતાના ઉપરના પ્રેમથી વિહ્વળ બનતી માતાને આવી જાતનું સાંત્વન આપવાનું સામર્થ્ય પણ માતૃભક્ત પુત્રમાં જ હોઈ શકે છે. સુપુત્રના પ્રેરણાભર્યા સાંત્વનથી માતા શાંત બની ગઈ. શાંત કરવાની પોતાની ફરજ બજાવીને તરત જ કોઈની
પણ રાહ જોયા વિના વનવાસમાં જવાની પોતાની પ્રતિજ્ઞાનું પાલન છે કરવા ખાતરહn “તાં નવ્વાડજ્યારä નનનનું નિર્યો નહગાન? ”
તે પોતાની શ્રીમતી અપરાજિતા નામની માતાને અને અન્ય માતાઓને નમસ્કાર કરીને શ્રી લક્ષ્મણજીના મોટાભાઈ શ્રીરામચંદ્રજી ચાલી ઉં નીકળ્યા.”