________________
શ્રી રામચન્દ્રજીનો વનવાસ
શ્રી રામચંદ્રજીનો અપૂર્વ ત્યાગ શ્રી ભરતજીના શબ્દોમાં શ્રી રામચંદ્રજીને ખાત્રી થઈ ગઈ કે શ્રી ભરત મારી હાજરીમાં રાજ્યાગાદીનો સ્વીકાર કદી કરે જ નહિ. શ્રી ભરત રાજ્યગાદીનો સ્વીકાર ન કરે એ અત્યારે પિતા માટે બે પ્રકારની આફતરૂપ છે. એક તો વચનબદ્ધ પિતા શ્રી ભરત સિવાય અન્યને રાજગાદી આપી શકે તેમ નથી. અને બીજી આફત એ છે કે આ રાજ્યગાદી શ્રી ભરત ન સ્વીકારે ત્યાં સુધી પિતાજીને સંયમના માર્ગની સાધનામાં અંતરાય થાય છે. આ બંને પ્રકારની આફતોમાંથી પિતાજીને મારે કોઈપણ પ્રકારે બચાવી લેવા જ જોઈએ. બેય પ્રકારની આફતોમાંથી પિતાજીને બચાવી લેવા માટે શ્રી રામચંદ્રજી માટે એક જ ઉપાય હતો. અને તે એ જ કે પોતાને વનવાસનો સ્વીકાર કરવો. આવો ઉપાય પણ આચરવા આ પિતૃભક્ત પુત્ર સજ્જ હતા. આસક્તિ આદિના યોગે સંસારમાં રહેવા છતાં પણ પ્રભુશાસનને પામેલા પુત્રો, તુચ્છ સ્વાર્થના પૂજારી કે પૌદ્ગલિક પાર્થો ખાતર અનીતિના માર્ગે પ્રાય: જતા જ નથી. અને માતા-પિતા આદિની શાંતિ વગેરે ખાતર પોતાના પૌદ્ગલિક સ્વાર્થોનો પરિત્યાગ કરવામાં તેઓ હેજ પણ પાછા નથી પડતા.
આ વાતનું જીવતું અને જાગતું ઉદાહરણ રજુ કરવા માટે જ જાણે ન હોય તેમ શ્રી રામચંદ્રજીએ, ‘મારી હાજરીમાં ભારત રાજ્યાગાદીનો સ્વીકાર ન જ કરે. અને એથી પિતાજી ઉભયલોકને
મચન્દ્રજીનો ૪ વનવાસ...૧૨