________________
છતાંપણ પોતાના પિતાના વચનની ખાતર પિતાના કહેવા છતાં પણ છે વિના શ્રમે મળી જતા રાજ્યનો અસ્વીકાર કરતા પોતાના બંધુને તિ રાજ્ય લેવાની સલાહ આપે છે. સાચો વિવેક પ્રગટ્યા વિના આ છે ઉભય બનાવમાં રહેલું અંતર સમજવું કઠીન છે. પ્રભુશાસનની પ્રાપ્તિ માટે પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેના હક્કથી પર રહેવાની અને પૌદ્ગલિક પદાર્થો ઉપરની લાલસાને કાપવાની જ પ્રવૃત્તિ નિરંતર કરવી જોઈએ. એ વિના પરમ વીતરાગ પરમાત્માની ઉપાસના થવી અને એ પરમતારકની આજ્ઞા પ્રત્યે આંતરિક સદ્ભાવ થવો એ અશક્ય છે. પૌદ્ગલિક પ્રવૃત્તિઓમાં જ શ્રેય માનવું અને પરમાત્માએ મને એમ કરવાની પ્રેરણા કરી. એમ કહેવું એ તો પરમાત્માને નામે પોતાની અહંતાને પોષવાનો જ કુટ વ્યાપાર છે.
અજ્ઞાનીઓ એ કુટ વ્યાપારમાં ફસે અને પાગલ બની પ્રપંચીની પણ જય બોલાવે એ તદ્દન સહજ છે. પણ એ રીતે પરમ વીતરાગ પરમાત્માની આશાતના કરવી એનું પરિણામ ઘણું જ વિકટ છે, એ વાત કદી જ ન ભૂલાવી જોઈએ. આ લોકની લાલસાથી પરલોકના ખ્યાલને વિસારી બેઠેલા નાસ્તિકોને ભલે આ વાત ઉપવસનીય લાગે પણ આ એક ઉઘાડું સત્ય છે. આવા બુદ્ધિમાં પણ બેસે તેવા સત્યનો ખોટા ઘમંડથી સ્વીકાર નહિ કરનારા આત્માઓનું ભવિષ્ય ઘણું જ ભયંકર છે, એ વાતમાં વિચક્ષણ આત્માઓના બેમત નથી જ. જે આત્મા એક પરમાત્માની આજ્ઞા ઉપર જ નિર્ભર છે. તે તો પોતાને પણ પૌદ્ગલિક પ્રવૃત્તિઓથી પર રાખે છે અને જનતાને પણ પૌદ્ગલિક પ્રવૃત્તિઓથી પર રહેવાનો જ ઉપદેશ આપે છે. એવા આત્માઓ અનેક પ્રકારની આપત્તિઓને આનંદ અને ઉલ્લાસપૂર્વક સહે છે અને અન્યને એ રીતે સહવાનું શીખવે છે. પણ તે દુન્યવી હિત માટે નહિ કેવળ આત્મિક હિત માટે જ. પણ એ બિચારાઓ ગાઢ અજ્ઞાનતાના યોગે દુન્યવી હિત માટે નહિ પણ કેવળ આત્મિક હિતનો વિવેક જ ન કરી શકતા હોય તેઓને આ
આદર્શ પરિવારના ૪ આદર્શ વાત....૧૧