SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ 'સત.... ૨૭ રિામ-લઢમણને કરવા માટે તું યોગ્ય નથી. એ કારણે તારી ઇચ્છા વિના પણ તું રાજ્યને ગ્રહણ કર. રાજ્ય લેવાની તારી ઇચ્છા નથી એ હું સારી રીતે જાણું છું અને એથી ખુશ થાઉં છું, છતાં પણ હું તને કહું છું કે મારી પ્રતિજ્ઞાને નિષ્ફળ ન થવા દેવા માટે અને તારી માતાને સુખી કરવા ખાતર તું તારી ઈચ્છા ન હોય તે છતાં પણ આ રાજ્યનો સ્વીકાર કર.” આવા પ્રકારની સ્પષ્ટ આજ્ઞા કરવા છતાં પણ વૈરાગ્યસભર ઝીલતા શ્રી ભરત સ્તબ્ધપણે જ ઉભા રહ્યા છે. સ્તબ્ધપણે ઉભા રહેલા શ્રી ભરતને હૃદયપૂર્વકની સલાહ આપતાં શ્રી રામચંદ્રજીએ કહ્યું કે, रामो भरतमिच्युचे, न ते गर्वोऽस्ति यद्यपि । तथापि सत्यापयितुं, तातं त्वं राज्यमुद्धह ॥ હે બધુ ! જો તને ગર્વ નથી અર્થાત્ રાજ્યના અધિપતિ બનવાને તું આતુર નથી એ વાત તદ્દત જ સત્ય છે. તો પણ પિતાને સત્યવાદી બનાવવા માટે તું રાજ્યને અંગીકાર કર.” હક્ક અને લાલસાના પ્રતાપે ભાગ્યવાનો ! આ પ્રસંગ અવશ્ય વિચારણીય છે. વડીલ ભાઈ પિતાના વચન ખાતર પોતાના હક્કે જતો કરે છે. અને લઘુભાઈ વિના હક્ક મળતા રાજ્યને લેવાનો સર્વથા ઈન્કાર કરે છે. આવી જાતના પ્રસંગ સંસારમાં ઘણા જ વિરલ બને છે. પ્રભુશાસનની પ્રાપ્તિ પૌદ્ગલિક પદાર્થોના સંબંધમાં આત્માને નિરર્થક હક્કા હડકવાથી બચાવે છે અને સદાય ખોટી પૌદ્ગલિક લાલસાથી અલિપ્ત રાખે છે. આજનો આખોય વિશ્વવિગ્રહ જ છે પ્રભુશાસનની પ્રાપ્તિના અભાવને આભારી છે. હક્કના નામે અને પી લાલસાના પ્રતાપે આજે વિશ્વમાં વિચિત્ર પ્રકારના વિગ્રહ ચાલી રહી છે. વિશ્વમાં આજે હક્કના નામે રાજ્ય લેવાના પ્રયત્ન ચાલી રહ્યાં છે અને તેમાં ધર્મ મનાવવાની ધૃષ્ટતા ચાલી રહી છે ત્યારે શ્રીરામચંદ્રજી કે જેઓ પાટવી હોઈને રાજ્યના ખરા હક્કદાર હોવા
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy