________________
પુત્તર મક્લ સામર, ટેઢિ સમર્થંડુગંર” છે
હે સ્વામિન્ ! આપ જ્યારે આપના નિશ્ચયમાં મક્કમ જ છો તો આપ હશે મારા પુત્ર ભરતને આ સમસ્ત રાજ્યનું સમર્પણ કરો.'
શ્રીમતી કૈકેયીદેવીની માંગણીનો સ્વીકાર કરતાં શ્રી દશરથમહારાજાએ પ્રસન્ન હૃદયે ફરમાવ્યું કે,
“ ટૂરિડ દુર દુFI રજાં, ते दिन्नं मए समत्थं गेण्हसु मा चिरावेहि"
“હે સુંદરી ! હું તારા પુત્રને સમગ્ર રાજ્ય સમર્પણ કરું છું. માટે તું તે રાજ્યને ગ્રહણ કર અને તે કરવામાં ક્ષણનો પણ વિલંબ ન કર !”
આ પ્રસંગની અનુપમતા વિચારવા યોગ્ય છે. ભાગ્યવાનો ! આ આખોએ પ્રસંગ અનુપમ હોઈ ખૂબ ખૂબ વિચારવા યોગ્ય છે. મોહવશ બનેલ શ્રીમતી કૈકેયીદેવી પણ પોતાની વસ્તુની માંગણી કરતાં કેટલાં કચવાય છે ? એ માંગણીનો સ્વીકાર કરવામાં પણ શ્રી દશરથ મારાજા જેવો અને કેટલો વિવેક જાળવે છે? અને આવી કારમી માંગણીનો એકદમ સ્વીકાર કરવામાં શ્રી દશરથમહારાજા કેટલા નિર્ભય છે? આ બધી જ બાબતો આપણને અનેક શંકાઓના સમાધાનો આપે છે.
૧. શ્રીમતી કૈકેયી મોહને આધીન થાય છે. એ વાત સાચી પણ એમાંય પોતાની કુલીનતાનું દર્શન અવશ્ય કરાવે છે. એ દર્શાવવા સાથે શ્રીમતી કૈકેયીદેવીની માંગણી એ પણ સમજાવે છે કે મોહ એ ઘણો જ ભયંકર છે અને તેની ભયંકરતા ભલભલાને મૂંઝવવાને સમર્થ છે તથા એની ભયંકરતાથી કોઈ વિરલ આત્માઓ જ બચી શકે છે.
૨. બીજી વાત એ છે કે મોહવિકલ બનેલી શ્રીમતી કૈકેયીની સામે પોતાના વૈરાગ્યને શ્રી દશરથમહારાજા અખંડિતપણે જાળવી રાખે છે. શ્રીમતી કૈકેયીની માંગણીના સ્વીકારમાં પોતાની વસ્તુ શ્રી દશરથમહારાજા નથી વિસરતા. 8
આદર્શ પરિવાર
9 આદર્શ વાતો..૧૧