________________
બોલ્યા તે અબી ફોક' જેવી નથી હોતી. પણ પત્થર ઉપર કોતરેલી રેખા જેવી એટલે કે કદી ન એવી હોય છે.' જેમ શ્રીમતી કૈકેયીદેવીએ ખરે અવસરે વરદાનની માંગણી કરી, તેમ મહારાજાએ પણ પોતે આપેલા વરદાનને કબૂલ કરવા પૂર્વક શ્રીમતી કૈકેયીદેવીની માંગણીનો સ્વીકાર પણ ખૂબ વિચારપૂર્વક કર્યો. તે અંગે કહ્યું છે કે, अथावदद्दशरथः, प्रतिपन्नं स्मराम्यहम् । याचस्व यन्ममाधीनं, विना व्रतनिषेधनम् ॥
કૈકેયીદેવીએ જાણવા માંગેલી અને યાદ કરેલી માંગણીનો સ્વીકાર કરતા શ્રી દશરથમહારાજા બોલ્યા કે, “જે મેં વચન આપ્યું છે તે બરાબર મારી સ્મૃતિમાં છે. હું તેને સ્હેજ પણ ભૂલ્યો નથી અને તે હું આપવાને પણ તૈયાર છું. માટે એક વ્રત લેવાનો નિષેધ કરવા સિવાય બીજું જે કાંઈ મારે આધીન હોય તેને તું માંગ.”
પોતાના પતિદેવના મુખથી નીકળેલો અનુકૂળ ઉત્તર સાંભળીને શ્રીમતી કૈકેયીદેવીએ પણ યાચના કરતાં કહ્યું કે, ततो ययाचे कैकेयी, त्वं चेत्प्रव्रजसि स्वयम् । स्वामिन् विश्वंभरामेतां भरताय प्रयच्छ तत् ॥ “હે સ્વામિન્ આપ પોતે જો પ્રવ્રજ્યા અંગીકાર કરતા હો તો આ પૃથ્વી ભરતને આપો.”
આ આખાયે પ્રસંગને પઉમચરિયમ્ના કર્તા ઘણા જ સ્પષ્ટ શબ્દોમાં વર્ણવે છે. શ્રીમતી કૈકેયીદેવીએ જ્યારે એમ જાણ્યું કે મારે તો પતિ અને પુત્ર બંનેય જવા બેઠા, ત્યારે તેણે ભરતને રોકવા માટેનો ઉપાય ચિંતવીને વિનયપૂર્વક શ્રી દશરથમહારાજા પ્રત્યે કહ્યું કે, “તું મે વરું પયચ્છન્નુ, નો મળિો સુહઠસામરવું” “હે નાથ ! મારા તે વરાનને આપો, કે જે વરદાન આપે મને સુભટોની સમક્ષ આપવાને ફરમાવ્યું છે.”
આ માંગણીનો ઉત્તર આપતાં પુરુષોમાં વૃષભ સમા શ્રી દશરથરાજાએ તરત સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું કે,
આદર્શ પરિવારની 2 આદર્શ વાતો...૧૧