________________
- cી
રામ-લક્ષમણને
ચંદ્રગતિનો પ્રતિબોધ : દીક્ષા ગ્રહણ આ પછી સંસારથી ઉદ્વિગ્ન બનેલા ચંદ્રગતિ રાજાએ તો પોતાનું રાજ્ય પોતાના પુત્ર શ્રી ભામંડલ ઉપર સ્થાપન કરીને સત્યભૂતિ નામના સૂરિવરની પાસે દીક્ષા અંગીકાર કરી.
આ પ્રસંગનું વર્ણન કરતાં શ્રી પઉમચરિયના કર્તા તો કહે છે કે શ્રી ભામંડલ દ્વારા પૂર્વભવનું વૃત્તાંત સાંભળતાની સાથે જ ચંદ્રગતિરાજા એકદમ વિસ્મિત હદયવાળા બની ગયા છે. અને મુખથી ધિક્કાર-ધિક્કાર શબ્દનો ઉચ્ચાર કરતા તે સંસારની સ્થિતિને ખૂબ-ખૂબ નિંદે છે અને સંસારથી અતિશય ભય પામેલા તે મુનિવરને ઉદ્દેશીને હે ભગવાન્ ! એક મનવાળા થઈને આપ મારા વચનને સાંભળો આ પ્રમાણે કહીને વિનવે છે કે,
"तुज्डा पसाएण अहं, जिणदिवखं गेण्हिऊण कयनियमो । $ચ્છામિ ળિadજું, મામો વઘરઘરાટો ટા”
“હે ભગવાન્ ! હું આપના પ્રસાદથી શ્રી જિનેશ્વર ભગવાનને અજોડ રીતે સેવીને શક્ય રીતે ઉપદેશેલી રીક્ષા ગ્રહણ કરીને કૃત નિયમ બનેલો આ સંસારપંજરરૂપ ઘરમાંથી સર્વ પ્રકારે નીકળી જવાને એટલે કે મુક્તિએ જવાને ઈચ્છું છું.”
ભાગ્યવાનો ! વિચારો કે સંસારના સ્વરૂપથી સુજ્ઞાત બનેલા ભવ્ય આત્માઓની સંસાર પ્રત્યે કેવી ભાવના થઈ જાય છે ? મુક્તિગમનને યોગ્ય આત્માઓ સંસારસ્વરૂપને યથાસ્થિત જાણ્યા પછી એક ક્ષણ પણ સંસારરૂપ કારાગારમાં રહી શકતા નથી. નિર્વેદ
અને વૈરાગ્ય એ આત્માઓને સંસારમાંથી એકદમ ઉદ્વિગ્ન બનાવી દે છે છે. એ આત્માઓને આખોય સંસાર ચારકના જેવો લાગે છે. જે સંસારમાં મનાતું એક પણ સુખ એ આત્માઓને સુખરૂપ લાગતું
નથી. સુરપણાનાં સુખો અને મનુષ્યપણાના સુખો એ આત્માઓને IN દુઃખરૂપ ભાસે છે. એવા આત્માઓને મન સંસાર એ હેય-ત્યાજ્ય
લાગે છે. અને મોક્ષ એ જ એક ઉપાદેય લાગે છે. એવા